________________
રાખવી કે જીવનમુક્તિનો માર્ગ મેળવવા મથવું તે આકાશ-પુષ્પવત્ છે. જીવનવ્યવહાર અહં અને મમત્વથી ગ્રસિત હોય, મૈત્રી આદિ સભાવથી મનોભૂમિ ભીંજાયેલી ન હોય, આત્માના અસ્તિત્વની નિઃશંકતા ન હોય, આત્મા-અનાત્માના ભેદનો બોધ પ્રાપ્ત થયો ન હોય, ત્યાં સુધી ધ્યાનમાર્ગમાં વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી.
આજે માનવજીવન રેશમના દોરા જેવું લપસણું છે, તેમાં વળી ગ્રંથિવાળું છે. રેશમના દોરાની ગાંઠ અને વળી તે ઉપર તેલ લાગ્યું હોય તો તે છોડવી દુઃસાધ્ય બને છે; તેમ જીવન મલિન હોય, પ્રપંચોમાં રાચતું હોય, તે વડે મિથ્યાભાવની ગ્રંથિઓથી રૂંધાયેલું હોય તો તેમાંથી છૂટવું દુઃસાધ્ય બને છે. નિષ્ણાંચ અને નિર્મળ જીવન ધ્યાનમાર્ગને અનુરૂપ થાય છે. તેમાં નિષ્ઠાપૂર્વક વર્તવાનું કોઈ વિરલા સાધકોને જ સૂઝે છે. જેઓ પાત્રતા સહિત, સન્નિષ્ઠ થઈ, મહાન પ્રયત્ન દ્વારા અવકાશ મેળવે છે, તેમને જ્ઞાની મહાત્માનો યોગ વહેલો-મોડો કે ઓછો-વધતો, જરૂર મળી રહે છે. દૃષ્ટિ-પરિવર્તન પછી શું બને છે ? - સાચો ધ્યાનસાધક આત્મા સાવધાનપણે જીવવામાં પ્રયત્નશીલ હોય છે. નિદ્રા જેવી ક્રિયામાં પણ થાકીને ઘસઘસાટ નિદ્રાધીન થતો નથી કે જેથી ચેતના સુષુપ્ત થઈ જાય. તે સ્વપ્નમાં સ્વપ્નરૂપ થઈ જતો નથી કે સ્વપ્નના પદાર્થોને સત્ય માનવા જેવો બેહોશ રહેતો નથી. નિદ્રામાં અને સ્વપ્નમાં ચેતના સુષુપ્ત થતી નથી, પણ મુખ્યત્વે જાગ્રત રહે છે. વાસ્તવમાં આ યોગી દશા છે.
આવો સાધક વ્યાવહારિક પ્રસંગોમાં, માનમોટાઈમાં અટવાતો નથી, અલૌકિક આનંદમાં ઓતપ્રોત થઈ જતો નથી, વ્યાવહારિક ફરજને સભાનતાથી પૂરી કરે છે. જેમ કોઈ ગરીબ વ્યક્તિ શુભયોગે શ્રીમંત થાય ત્યારે તેનાં ઘર, બહાર, ઊઠવા, બેસવા વગરે સર્વક્રિયામાં પરિવર્તન આવે છે, તેમ ધ્યાનમાર્ગના ઉપાસકની બાહ્ય અને અંતરંગદશામાં આમૂલ અને અપૂર્વ પરિવર્તન આવે છે, તે તેના અનુભવની પ્રતીતિનું ફળ છે. આથી ધ્યાનના અધિકારી મુનિજનો મનાય છે.
મનમાં રહેલા સૂક્ષ્મ દોષોને ધર્મની બાહ્ય ક્રિયા વડે ઢાંકી શકાતા નથી. જેમ કે દાન આપીને માન મેળવવાની આકાંક્ષા વડે ધનવાંછના કે પરિગ્રહવૃત્તિનો દોષ દૂર થતો નથી. પગમાં વાગેલા કાંટાને સોય જેવા
૩૮