________________
કલેશોથી, પ્રપંચોથી કે ચંચળતાથી તાળાબંધી પામેલા મનને અનુષ્ઠાન કે આલંબનની કોઈ ચાવી લાગતી નથી.
“પ્રપંચે આવરેલું આત્મધન વહ્યું જાય છે.'' અંતર્મુખ પરિણામની ધારા વડે શુદ્ધ થયેલો ઉપયોગ અને અનુભવ એ ચાવી છે. એ અનુભવથી આત્મભાવ સમતાથી રસાયેલો રહે છે. એટલે સાધક આહાર લે છે ત્યારે આહારને જાણે છે તો ખરો, પણ એના સ્વાદને માણતો નથી; એ જ રીતે તે સ્પર્શને જાણે છે, પણ માણતો નથી; ચક્ષુ વડે પદાર્થને જુએ છે, પણ વિકાર ઉત્પન્ન થવા દેતો નથી; અને મનની વૃત્તિઓને જુએ છે, પણ તેની પાછળ દોડતો નથી. કારણ કે સમતાનું અમૃત તેણે આસ્વાદ્યું છે.
“મનની કામના સર્વે છોડીને આત્મમાં જે; રહે સંતુષ્ટ આત્માથી તે સ્થિતપ્રજ્ઞ જાણવો.’’ ર વળી
""
“રાગ ને દ્વેષ છૂટેલી ઈંદ્રિયે વિષયો ગ્રહે, વશેન્દ્રિય સ્થિર આત્મા તે પામે છે પ્રસન્નતા. ૧૧ - શ્રીમદ્ ભગવદ્ગીતા ઃ સ્થિતપ્રજ્ઞ લક્ષણ.
એ ધ્યાનમાર્ગ નથી :
આપણું સ્થૂલ જીવન મન અને ઈંદ્રિયોની મર્યાદિત શક્તિ પર નિર્ભર છે. મનની માનેલી, ધારણ કરી રાખેલી કલ્પના વડે સુખદુઃખનું વેદન આપણે કરીએ છીએ, તેથી વિશેષ આત્મસંવેદનને આપણે જાણતા નથી. ઈદ્રિયોના વિષયો માણવા આપણે સ્પર્શ, રસ, ઘ્રાણ, રૂપ અને શ્રવણની સહાય લેવી પડે છે. માનસિક ભૂમિકાએ આપણે રાગદ્વેષની લાગણીઓનો અનુભવ કરીએ છીએ અને તેમાં સુખદુઃખનો આરોપ કરીએ છીએ. આ રીતે સામાન્ય મનુષ્યનું જીવન દ્વંદ્વમાં જ પૂરું થાય છે.
મહપુણ્યના યોગે કોઈ જીવને સવૃત્તિ પ્રત્યે રુચિ થાય છે ત્યારે તેનામાં જીવનવિકાસની કે મનશુદ્ધિની જિજ્ઞાસા જાગે છે. અસદ્ભાવમાંથી ઉપર ઊઠવું અને સદ્ભાવમાં જવું એ ગાળો આંતરિક કટોકટીનો હોય છે. તે સમયે જો યોગ્ય માર્ગદર્શક ન મળે તો જિજ્ઞાસુ
૩૬