________________
કેવું આશ્ચર્ય !
પરમસુખ-શાંતિનું ઉત્તમ સાધન ચેતના આ દેહમાં ઉપલબ્ધ હોવા છતાં માનવ કંગાલ અને દરિદ્ર બન્યો છે. એ દરિદ્રતા દૂર કરવાના ઉપાયના ભાન, સાન અને જ્ઞાન વગર જગતમાંથી સમ્રાટો, માંધાતાઓ કે અબુધ એવા માનવો ખાલી હાથે ભવાંતર પામ્યા જ કરે છે.
પૂર્વભૂમિકા, ધ્યાનનો અભ્યાસ અને અનાસક્તભાવ જેવી દશાવાળો સાધક આસનસ્થ થાય છે કે જીવનની તે ક્ષણો પુષ્પ જેવી નિર્દોષ અને હળવી બની જાય છે, જીવન સમભાવરૂપી સમતારસથી મધમી ઊઠે છે અને સાધક જીવનની ધન્યતા અનુભવે છે. સમતાનું અમૃત :
સૂમ વિચાર, સૂક્ષ્મ ઉપયોગ, સૂક્ષ્મ અવલોકન કે સૂક્ષ્મ ચિંતન વિના સમ્યવિચાર કે સમભાવ ધારણ થતો નથી. લોકલજ્જાએ, લોકભયે, લોકલાગણીએ કે લોકમાન્યતાએ જે સમતા રહે તે મિથ્યા સમતા છે. પ્રતિકૂળ સંયોગોમાં, પોતે નિર્ધારિત કરેલા પ્રસંગોની કે કાર્યોની નિષ્ફળતામાં, કે માનસિક માન્યતાઓથી વિપરીત વાતાવરણમાં, આત્મા એ સર્વને પ્રકૃતિજન્ય કે પૂર્વ પ્રારબ્ધનો સંયોગ સમજે અને સદ્ભાવ વડે સમભાવમાં ટકી રહે તે સાચી સમતા છે. આવો સમતાવાન સાધક ધ્યાનના સમયે સહેજે શાંતિ અનુભવે છે. શાંતિ મેળવવા માટેના હઠપૂર્વકના પ્રયાસ ચિત્ત ઉપર તનાવ અને દબાણ લાવે છે. કોઈ વાર યંત્રવત્તા પણ આવી જાય છે. તેથી મન કંટાળો અનુભવે છે. અને શરીર થાક અનુભવે છે. તેમાંથી કયારેક ખેદ અને નિરાશા ઊપજે છે. તેથી જીવનની દરેક ક્રિયામાં સમભાવ એ સાધક માટે આવશ્યક અંગ મનાયું છે. તે માટે એકાંતે બેસી મનનું અવલોકન કરવું કે હજી મન શું ચાહે છે, તેને સ્વસ્થતાપૂર્વક કેમ આત્માભિમુખ કરવું? તેનો યથાર્થ ઉપાય કરી તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જોઈએ.
મનના મૂળ દૂષિત સંસ્કારોનું આમૂલ પરિવર્તન એ જ ધર્મ છે. તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. સર્વથા મુક્ત થવું તે ધ્યેય છે. આવા માર્ગનું જે ચિંતન કરે છે તે ધ્યાતા છે.
૩૫