________________
કરવી-આ બધી અજ્ઞાન અને મોહજન્ય દશા છે, પરભાવ અને પરચિંતન છે. તેમાં ચેતના ખંડિત હોય છે, ધ્યાનની સમગ્રતા કેળવવામાં આ મોટા અંતરાયો છે.
પોતાની વૃત્તિઓ પરત્વે જાગૃતિ આવે તો વાસનાઓ શિથિલ થાય છે. જેમ જેમ વિશુદ્ધિ થતી જાય તેમ તેમ આત્મવિચારની સઘનતા વધતી જાય છે અને તેનું સાતત્ય ટકી રહે છે. તેમ પછી ધ્યાનની સમગ્રતા શું તેનો અનુભવ થવા લાગે છે. એ અનુભવના રસાયણમાંથી જે વર્તન-વ્યવહાર થાય છે, તે નિર્દોષ અને નિર્મળ હોય છે. ધ્યાનમાર્ગમાં ચિત્તની સ્થિરતા જેટલું જ સ્થાન ચિત્તની નિર્દોષતા અને નિર્મળતાનું છે. ધર્મક્રિયા જીવન-સન્મુખ હોય તો તે ધર્મધ્યાનરૂપે પરિણમે ખરી. જીવન-સન્મુખતા તે જ સાચી ધર્મક્રિયા છે, આત્મબોધ છે.
ધ્યાનમાર્ગ અતિ સૂક્ષ્મ છે. સમગ્ર ચેતનાના અનુભવનું એ સત્ય છે. સૂક્ષ્મ દોષો કે વિભાવ દશા સાથે આ અખંડ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. માટે પ્રથમ પગલું સાચી દિશામાં ભરવા આત્મજ્ઞાન, “સ્વ'નું જ્ઞાન, આત્મવિચાર, વિવેક, જાગૃતિ અને જીવન-વિશુદ્ધિ એ પાયાની અને મહત્ત્વની જરૂરિયાતો છે.
આત્મબોધ વડે ધ્યાનનો ધોરીમાર્ગ શું છે તે સમજાય છે. તે માર્ગની યાત્રા માટે જીવનક્રમ સુવ્યવસ્થિત અને સુયોજિત હોવો જરૂરી છે, ધ્યાન શુદ્ધ અસ્તિવનો અનુભવ મેળવવા માટેની અંતરયાત્રા છે. સરળ ચિત્ત અને વિશાળ હૃદય એ સાધકના ઉત્તમ ગુણો છે. તે વડે જીવનમાં સહજતા આંવે છે. તે પછી સાધક આ કલ્યાણયાત્રાને પાત્ર થાય છે, એ કેડીને કંડારવા જીવનચર્યામાં પરિવર્તન અને શુદ્ધિ આવશ્યક છે. વિષયોની વિરકિત વગર અને આત્મજ્ઞાનના અભ્યાસ વગર આ સમગ્રતાની યાત્રા શકય નથી.
ધ્યાન એ મનોભૂમિકાની ઉપરની દશા હોવાથી તે જ્ઞાનરૂપ અર્થાત્ પ્રકાશમય છે. આ માર્ગનો સાધક પ્રજ્ઞાવંત હોય છે. તેથી ધ્યાનદશાની ઝલકના આંશિક અનુભવમાં પણ તેને સાચું સુખ અને પરમશાંતિ મળે છે અને તે અનુભવને માટે સાધક વારંવાર નિવૃત્તિમાં ધ્યાનનો પ્રયોગ કરી લે છે. કંઈક પ્રાપ્ત થાય, કંઈક દેખાય એવી
૩૩