________________
આત્મજ્ઞ કે સમદર્શી પુરુષનો સંપર્ક અને સેવન જરૂરી છે. તેમનો પવિત્ર પ્રેમ, કલ્યાણની ભાવના, નિર્દોષ માર્ગદર્શન અને શુદ્ધ આચાર અધિકારીને પાત્ર થવા અને ધ્યાનમાર્ગના યાત્રી થવા શક્તિપાતરૂપ નીવડે છે. તેમના નિર્મળજ્ઞાનની એ રેખા છે. આ માર્ગ ઘણો વિશદ અને સૂક્ષ્મ હોવાથી તેમાં અનુભવસિદ્ધ જ્ઞાની અને ધ્યાનમાર્ગના સાચા જિજ્ઞાસુ એમ બંનેનું સુખદ અને સફળ મિલન જરૂરી છે; અને એ થાય તે પછી જિજ્ઞાસુ સ્વપુરુષાર્થ વડે આ માર્ગનો જ્ઞાતા બને છે.
શક્તિપાત પરમાર્થ મૂલક હોવાથી તેમાં જ્ઞાની સદ્ગુરુ અને યોગ્ય શિષ્યની મુખ્યતા છે. સદ્ગ દ્વારા શિષ્યની સુષુપ્ત ચેતનાને જાગૃત કરવાની એ વિધી છે જે નિમિત્તરૂપ છે. તે સિવાય જે શક્તિપાતની પ્રણાલિ છે જેમાં અમુક દિવસ સમાધિ લાગે અને પાછી જતી રહે અથવા દુન્યવી લાભ થાય તે પરમાર્થમાર્ગને યોગ્ય નથી. શરીરની ક્રિયાઓ થોડો વખત સ્થગિત થાય તેમાં જડરૂપ શૂન્યતાનો અનુભવ થાય તે આ ધ્યાનમાર્ગમાં અભિપ્રેત નથી. કથંચિત દૈહિક શક્તિનો વિકાસ થાય તે પણ આત્મસાક્ષાત્કાર નથી હોતો. ધ્યાનની સમગ્રતા શું છે ?
ધ્યાન એ આત્માના અસ્તિત્વની-અનુભવની પ્રબુદ્ધ, આનંદમય અને નિષ્કપદશા છે. ચૈતન્ય આત્મા એક પૂર્ણ, અચલ અસ્તિત્વ છે. સૂર્ય આડે વાદળ વડે પ્રકાશ આવરાઈ જાય છે, તેમ ત્રિકરણ યોગોનાં આવરણો વડે કે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો-કર્મના (શરીર-સ્ત્રી-પુત્રાદિ) આવરણ વડે પરમપદ અપ્રગટ રહ્યું છે. તે આવરણોનો આત્યંતિક નાશ થતાં એ જ અસ્તિત્વ પૂર્ણ પરમાત્મારૂપે પ્રગટ થાય છે.
બાહ્ય પદાર્થો વડે જ સુખ મળે છે, તેવી માન્યતાને કારણે તે મેળવવાની તૃષ્ણા, જગતમાં યશ-કીર્તિ મેળવવાની આકાંક્ષા, ‘હુ કોઈનો પતિ, પિતા, પુત્ર મિત્ર, ઉદ્યોગપતિ કે કરોડપતિ વગેરે છું, અને તે મારી મોટાઈ છે તેવું ભાન, એથી પણ કંઈક વિશેષ થવાની મહત્ત્વાકાંક્ષા, અથવા હું સાધન-સંપત્તિ હીન છું, દુઃખી છું કે રોગી છું, તેવી સતત વ્યાકુળતા; વળી કંઈક ધર્મમાર્ગમાં પ્રવેશ થયો હોય તો હું ધર્મી, ત્યાગી, સંયમી છું તેવું અભિમાન, અને તેમાં માનાદિની કલ્પના
૩૨