________________
સિસકારો સાંભળી વૃદ્ધા બોલી કે, “હે ભૂદેવ! તમે પણ ચાણક્ય જેવા મહામૂર્ખ છો !”
આ સાંભળી ચાણક્ય આશ્ચર્ય પામ્યો. તેથી તેણે પૂછયું કે, “માતાજી ! તમે ચાણક્યને મહામૂર્ખ કેમ કહ્યો?”
વૃદ્ધાઃ “સાંભળ, ચાણક્ય ચંદ્રગુપ્તને રાજગાદી અપાવવા ગુણવેશે મગધ ઉપર સીધા નાના નાના હુમલા કરે છે અને એમાં એને નિષ્ફળતા મળે છે. તેને બદલે તે મગધનાં આજુબાજુનાં નાનાં રાજ્યોને વિશ્વાસમાં લે કે જીતે, પછી લશ્કર ભેગું કરે, સૈનિકોને કેળવે અને એકઠા કરે, આમ તાકાત વધારી પછી મગધ પર હુમલો કરે તો સફળતા પ્રાપ્ત થાય. તે ચાણક્યની જેમ ખીચડીમાં સીધો વચમાં હાથ નાખ્યો અને દાઝવાથી હાથ પાછો પડયો, તેને બદલે આજુબાજુની ખીચડી ખા. તે દરમ્યાન વચ્ચેની ખીચડી ઠંડી થશે, તે તું નિરાંતે ખાઈ શકીશ. તે ખીચડીમાં વચ્ચે સીધો હાથ નાખ્યો તેથી મેં તને ચાણક્ય જેવો મહામૂર્ખ કહ્યો.”
વૃદ્ધાની વાતનો મર્મ સમજી ચાણક્ય તે નીતિ અપનાવી, મગધની ગાદી મેળવી અને મહામૂર્ખતાથી છૂટયો.
આ ઘટનાનો સાર એ છે કે, ધ્યાન જેવા સૂક્ષ્મ માર્ગમાં જતાં પહેલાં આજુબાજુની ભૂમિકા તૈયાર કરવી. યથાર્થ ભૂમિકા વગર આ માર્ગે જવાથી પુરુષાર્થ પાછો પડે છે.
ધ્યાનની અનેકવિધ રહસ્યમય વાતો સાંભળીને, જેવા કે શક્તિપાત, મુખરસ કે સ્પર્શથી સાક્ષાત્કાર થવો, તેવાં લલચાવનારાં સાધનોથી ધ્યાનદશા પ્રાપ્ત કરી લેવાની ઉતાવળ તે મૂર્ખતા છે, એક ભ્રમ છે. આ માર્ગમાં અનુભવી જ્ઞાની, પવિત્ર સ્થળ, એકાંતવાસ, યથાર્થ માર્ગદર્શન વગેરે સહાયક સાધનો છે, પરંતુ ધ્યાનદશાનો કોઈ ત્રણ દિવસમાં કે કોઈ સાત દિવસમાં સાક્ષાત્કાર કરાવી દેવાનો દાવો કરે છે. કુતૂહલવશ, ભ્રમણાવશ કે અંધવિશ્વાસને વશ થઈ અનેક લોકો તેવા કાર્યક્રમોમાં ભાગ લઈ સંતોષ માને છે, પણ આ રીતે અસરુઓ તેમને છેતરી લે છે તેની તેમને ખબર જ નથી હોતી. સાધકનું અને શ્રી સદગુરુનું મિલન :
વ્યવહારમાં જેમ ઝવેરાત લેવા ઝવેરીને ત્યાં જવું પડે, મીઠાઈ લેવા કંદોઈને ત્યાં જવું પડે, તેમ આત્મજ્ઞાન-ધ્યાનના માર્ગદર્શન માટે
૩૧