________________
કે અનુભવ હોતો નથી. વળી કેવળ કુતૂહલવશ ધ્યાનની સીધી જ કોઈ વિધિ કરી લેવાથી કે આસનસ્થ થઈ ચક્ષુ બંધ કરીને બેસી જવાથી પણ ધ્યાન શું છે તેનો અનુભવ થવાનો સંભવ નથી.
ધ્યાનમાર્ગના જિજ્ઞાસુએ, પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે તેમ મનઃશુદ્ધિ, અંતરનિરીક્ષણ, વિવેક અને સ્વરૂપના જ્ઞાન જેવી ભૂમિકાનાં સેવન વડે ક્રમે કરીને અવરોધોને દૂર કરવા, અને તે માટે પ્રામાણિક પ્રયાસ કરવો અત્યંત આવશ્યક છે. જીવનમાં વાસના-વૃત્તિઓની પ્રબળતા હોય અને સીધાં જ કુંડલિનીની જાગૃતિ કે શક્તિપાત જેવાં સાધનો વડે ધ્યાનમાર્ગનો યથાર્થ અનુભવ શકય નથી. એ તો કાલ્પનિક સાધનોના ભ્રમમાં પડી મૂર્ખ બનવા જેવું છે, કારણ કે તેમ કરવાથી પરમાર્થસાધક ધ્યાન સિદ્ધ થઈ શકતું નથી, પણ પુરુષાર્થ પાછો પડે છે તે અહીં આપેલા દષ્ટાંતથી સમજાશે. દૃષ્ટાંત ઃ
ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો એક પ્રસંગ છે. ચાણક્ય એક વિચક્ષણ બ્રાહ્મણ હતો. તે એક મહાન રાજનીતિજ્ઞ તરીકે પંકાયો તે પહેલાંનો આ પ્રસંગ છે. ચાણક્ય, ચંદ્રગુપ્તને, મગધની ગાદીએ બેસાડવાની દઢ પ્રતિજ્ઞા લીધી હતી. સંયોગાધીન બંનેને પ્રારંભમાં ગુપ્ત વેશે જંગલોમાં રખડવું પડતું હતું. વળી તક મળે મગધ પર હુમલો કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી ન હતી.
આમ ગુપ્ત વેશે જંગલમાં રખડતાં રખડતાં ચાણક્ય એક વાર એક વૃદ્ધા બ્રાહ્મણીને ત્યાં ભોજનાર્થે જઈ ચઢયો. તે જ વખતે બ્રાહ્મણીએ રસોઈમાં ખીચડી તૈયાર કરી હતી. વૃદ્ધા ચાણક્યને ઓળખતી ન હતી. તે સમયમાં બ્રહ્મદેવોને ભોજન આપવું તે ગૃહસ્થ માટે સુકૃત્ય મનાતું. વૃદ્ધાએ પ્રેમપૂર્વક ચાણક્ય માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા કરી, ભૂદેવને આસન પર બેસાડયા અને થાળીમાં ગરમ ગરમ ખીચડી પીરસી. ચાણક્ય તો ઉતાવળમાં હતો અને સુધા-તૃષાથી પીડિત હતો. જેવી ખીચડી થાળીમાં પીરસાણી કે તરત જ તેણે વચમાં હાથ નાખી ખીચડી ખાવાનો પ્રયત્ન કર્યો, પણ ખીચડી ગરમ હોવાને કારણે તેણે તરત જ સિસકારો કર્યો અને હાથ પાછો ખેંચી લીધો.
૩૦