SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ધ્યાનના સાધકે ભ્રમમુક્ત થવું આ દુનિયામાં વર્તમાનકાળે અનેક જાતના ધ્યાનસાધનાના પ્રવાહો અસ્તિત્વમાં આવ્યા છે, ત્યારે તેના સ્વરૂપની સહજતા અને સાચી સમજ મેળવવી આવશ્યક છે. ધ્યાન વિશેના ખ્યાલો અને ચમત્કૃતિ કે લબ્ધિ-સિદ્ધિની આકાંક્ષાઓ આ માર્ગના અવરોધો છે. જગતનાં તત્ત્વો સંબંધીનું યથાર્થ જ્ઞાન, સમત્વ, સંયમ, ત્યાગ, નિસ્વાર્થતા, સરળતા, મધ્યસ્થતા જેવા ગુણોની ભૂમિકા હોય તો આ માર્ગમાં સહજ સફળતા મળે છે. એ ગુણોનો વિકાસ કેમ થાય તે આ સ્વાધ્યાયમાં પ્રસ્તુત કરેલા છે. ધ્યાન એ જીવનની મૌલિક અને સહજદશા છે, શુદ્ધાત્માને સ્પર્શવાનો પવિત્ર માર્ગ છે. તે માર્ગના આરાધનથી અનંત જન્મોનું પરિભ્રમણ સમાપ્ત થાય તેવું તેનું સામર્થ્ય છે. જેમ અજ્ઞાત પ્રદેશમાં જતાં અગાઉ તે સ્થળની માહિતી મેળવવી જરૂરી છે તેને ધ્યાનમાર્ગે જવા ગુરુગમે તે માર્ગથી પરિચિત થવું અગત્યનું છે. ધ્યાનમાર્ગની સિદ્ધિ શું છે? તે માર્ગમાં કેવી રીતે પ્રવેશ થાય અને સાધક સરળપણે સાધના કેવી રીતે કરી શકે તે અહીં સમજાવ્યું છે. સંસારી જીવન જેવું છે તેવું જો વ્યસ્ત રહે, કે ચિત્તપ્રદેશો જેવા છે તેવા મલિન રહે, કે વર્તમાનમાં પ્રવર્તતા ધ્યાન’ વિષે કોઈ ભ્રમદશા વર્તતી હોય તો આ માર્ગે આગળ વધી શકાય નહિ. તે માટે વાસ્તવિક ધ્યાનમાર્ગમાં કેમ પ્રવેશ કરવો તેની માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છે. ધ્યાન કોઈ બાહ્ય, દૈહિક ક્રિયા કે કલ્પનાનો વિષય નથી પણ આત્માની શુદ્ધદશાના અભ્યાસ અને અનુભવનું તત્ત્વ છે. તે સમજવા આ સ્વાધ્યાયમાંથી પ્રેરણા મળી રહેશે. ધ્યાન વિષેની સરળ અને સાચી સમજ સાધકે સૌપ્રથમ એ વાત સ્પષ્ટપણે સમજી લેવી કે, ધર્મધ્યાન અને ધર્મક્રિયા વચ્ચે અંતર છે. સામાન્ય ભૂમિકાએ ધર્મઅનુષ્ઠાનોમાં શુભભાવ સેવાય છે પણ તેમાં ચિત્તની સ્થિરતારૂપ ધ્યાનનો પ્રયોગ ૨૯
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy