________________
માટે મનુષ્ય કર્મનું, કર્મવૃત્તિનું સંશોધન અગ્રિમતાએ કરવું જરૂરી છે. સંશોધન સાચી દિશાથી થાય તો જીવન નિર્બોજ બને છે અને પ્રતિક્રિયાથી ભારે બને છે. - એક વ્યક્તિએ બીજી વ્યક્તિને એક ચૂંટી ભરી, બીજી વ્યક્તિએ ચૂંટી ભરનારને તમાચો લગાવ્યો. આમાં ગાલનો, હાથનો કે આંગળીઓનો શું દોષ છે? હાથ અને આંગળીઓ વડે નમસ્કાર જેવી સક્રિયા પણ થઈ શકે છે. તેથી હાથ, ગાલ કે આંગળીઓનું સંશોધન જરૂરી નથી, પણ તે હાથને સક્રિય કરનાર વૃત્તિઓનું સંશોધન જરૂરી છે. મનુષ્ય હાથથી થતી ક્રિયાને જુએ છે અને હાથથી બદલો લેવા પ્રયત્ન કરે છે, તેમાંથી જ વેરાનુબંધ સંયોગોનો જન્મ થાય છે. એમ પરંપરાએ કર્મની શૃંખલા પેદા થાય છે. જેમાં સંસ્કારની કાંઈ પ્રવૃત્તિ વિકસવાની નથી.
ધ્યાન જેવા અકર્મ માર્ગથી કર્મ તૂટે છે. વૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ નહિ પરંતુ પ્રવૃત્તિ અને વૃત્તિનું સંશોધન થાય તો કર્મજન્ય શલ્યો અમે છે. ધ્યાનથી અંતરનું સંશોધન થાય છે.
અંતે અહમ્ (સંસારી) વિસર્જન થઈ આત્મા અહમ્ (પરમાત્મા) બને છે.
ધ્યાનમાર્ગની સિદ્ધિમાં પ્રારંભથી અંત સુધી આત્મસંશોધન અને આત્મચિંતન-વિચાર એ ઉત્તમ સાધન છે. તેમાં આત્માર્થ સમાય છે.
આવે જ્યાં એવી દશા સદ્ગરબોધ સુહાય, તે બોધ સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. (ગાથા ૪૦)
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ. (ગાથા ૪૧)
- શ્રીમદ્ રાજચંદ્રજી રચિત શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર.
૨૮