________________
પ્રયાસ કરશે. દુઃખ કે સંતાપને કષાયજન્ય ભાવોથી ટાળવા પ્રયત્ન કરે તો તે ટળતાં નથી, તે મિથ્યા ઉપાય છે. નિર્ધન ધનવાનની ઈર્ષા કરે તો તેનું દુઃખ ન ટળે. પોતે ધન મેળવવા સાચી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે, જે મળે તેમાં સંતોષ માને તો દુઃખ દૂર થવાની શકયતા છે.
અંધારામાં કે જંગલમાં ભૂલો પડેલો પથિક કોઈ અવાજ સાંભળી તે દિશા પકડે છે અને તેને આધારે માર્ગ શોધે છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલો માનવ, જ્ઞાનીના વચનને સાંભળીને અને સમજીને માર્ગ પકડી લે અને વિનય તથા શ્રદ્ધાપૂર્વક પગ ઉપાડે તો જ્ઞાનમાર્ગ સંપ્રાપ્ય થાય છે. ધ્યાન શુદ્ધાત્માનું સીમાચિહ્ન છે. તેથી આ માર્ગમાં પ્રેમપૂર્વક પ્રવેશ કરવો તે માનવજીવનનું ઉત્તમ ધ્યેય છે.
યુવાચાર્ય મહાપ્રજ્ઞ રચિત “પપ્પાન સર અચ્છામિ ગ્રંથમાં કથન છે કેઃ “શાંતિ અને સમાધિની ખોજ દરેક માનવની મંજિલ છે. તેને માટે પરમ સત્યનો સાક્ષાત્કાર જરૂરી છે. આત્માનો સ્વીકાર કરવાથી આત્મા-પરમાત્માનું ઐક્ય સધાય છે. જે પોતાનું શરણ શોધતો નથી તે અન્યના શરણથી નિશ્ચિત થઈ શકતો નથી.”
આધિ, વ્યાધિ, ઉપાધિ-ત્રિવિધ તાપ સમાધિથી શમે છે. સાધક સમાધિમાં જઈ શકે છે, ધ્યાન તે દિશાનો અભિગમ છે.
મનુષ્યનાં વાણી અને વર્તનમાં, કથનમાં અને આચારમાં અંતર રહેશે ત્યાં સુધી સંસાર ઊભો છે. મનુષ્યની બે અવસ્થા છે : (૧) છવસ્થતા (સંસારી) (૨) વીતરાગતા (પૂર્ણતા). મનુષ્યને જ્યાં સુધી જીવનના મૌલિક સિદ્ધાંતમાં કે આત્મશ્રદ્ધામાં રસ નથી ત્યાં સુધી સંસાર ટકે છે. મનુષ્યને પોતાના ઇદ્રિયજન્ય સુખમાં, મનની કલ્પનાઓમાં, કંઈક થવામાં કે વ્યક્તિત્વમાં રસ છે, ત્યાં સુધી સંસારમાં આવાગમન છે. વ્યક્તિત્વની દોડ મનુષ્યને સાચા સુખથી વંચિત રાખે છે. ધાર્મિક ક્રિયાઓ એક સ્કૂલ વિશ્રામ જેવી થઈ પડી છે. નિદ્રા દેહ અને મનને વિશ્રામ આપે છે. ધર્મક્રિયાઓ પ્રવૃત્તિનો રૂપાંતરરૂપે વિશ્રામ છે, જ્યારે ધ્યાન એ દુઃખમાત્રથી વિશ્રામ છે.
મનુષ્ય જ કર્મથી અને અકર્મથી સમતુલા લાવી શકે છે. કર્મપ્રેરણાને શાંત કરી શકે છે. પશુમાં આ શક્તિ મુખ્યપણે નથી,
૨૭