SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા શું પ્રાપ્ત થશે ? સાધના કરવાથી કશું બહારથી પ્રાપ્ત થશે તેવો ભ્રમ ન સેવવો. સાધના એ આવરણયુક્ત વર્તમાન આત્માની દશાને નિરાવરણ કરવાનો શુદ્ધિમાર્ગ છે. ત્રિકરણયોગે શુદ્ધિ થવી તે સાધનાનું હાર્દ છે. આહારાદિ અને આસનાદિ વડે કાયાશુદ્ધિ, મૌન દ્વારા વચનશુદ્ધિ, સંયમ અને તપ દ્વારા મનશુદ્ધિ સધાય છે. સ્વદોષનિરીક્ષણ અને તેનો છેદ તે પણ મનશુદ્ધિ પછી મનમુક્ત ચેતનસત્તા શું છે તે સમજાય છે અને અવશ્ય અનુભવાય, નિરપેક્ષ સુખનો અનુભવ સંભવ બને છે. જીવ માત્ર જ્ઞાનગુણ સહિત છે. વૃક્ષમાં બીજ તિરોહિત છે તેમ દરેક આત્મામાં શક્તિરૂપે પરમતત્ત્વ છુપાયેલું છે. આંતર-બાહ્ય અવરોધો દૂર થતાં આત્મા જ્ઞાતરૂપે પ્રકાશે છે. બીજ જેમ જમીનમાં દટાઈને ત્યાં જ વિલીન થઈ પ્રકાશ-પાણી મળતાં અંકુરરૂપે ફૂટી નીકળે છે અને ક્રમે કરી વૃક્ષરૂપે ફાલે છે, તેમ બાહ્ય પદાર્થો સાથેની સભ્યતા શમે છે ત્યારે આત્મ-પરિણામ જ્ઞાનસ્વભાવમાં-આત્મભૂમિમાં વિલીન થઈ, પ્રજ્ઞારૂપે અંકુરિત થઈ, સમ્યગુદર્શનરૂપે પ્રગટ થાય છે. અંતે પૂર્ણજ્ઞાનરૂપે વિકાસ પામે છે. ફોતરા સહિત વાવેલું બીજ જમીનમાં નાશ પામે છે પણ અંકુરિત થતું નથી, તેમ અહંકાર-મમકારના ફોતરા સહિતના પરિણામો પ્રજ્ઞારૂપે અંકુરિત થતા નથી. અજ્ઞાનરૂપ તે પરિણામો આત્મગુણનો ઘાત કરે છે. હું અમુક છું, સંસારમાં મોટો ગણાઉં છું, આવો નામધારી છું એ ઈત્યાદિ ગ્રંથિ તૂટવાથી આત્મવિચાર જન્મે છે અને હું “આત્મા' તેવું ભાન થાય છે. અહંકાર સહિતનું મૃત્યુ નવો દેહ ધારણ કરાવે છે અને “હુંને અવનવી ગતિમાં ભમાવે છે. તે પરિભ્રમણની સમાપ્તતાનો આરંભ સમ્યગ્રદર્શનરૂપ શ્રદ્ધા વડે થાય છે. એ શ્રદ્ધા યથાર્થ સમજની નીપજ છે. કેદીને કારાગૃહ એ ગુનાત્મક સજાનું સ્થાન છે, તેમાં રહેવાથી બદનામ થવાય છે, તેવું સમજાય છે તેથી તેમાંથી છૂટવાની પ્રતીક્ષા કરે છે. દેહાધ્યાસ અને પદાર્થો પ્રત્યેનો મોહ તે બંધન છે, સંતાપ છે અને સુખાભાસ છે એવી સમજ આવશે ત્યારે જીવ છૂટવાનો યથાર્થ ૨૬
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy