________________
શોધી લે છે ત્યારે કવચિત આસક્તિમાં ખેંચાઈ જાય છે. માટે સાધકને જ્ઞાનીઓનો સત્સંગ કરી છે. જ્ઞાનીજનો પ્રત્યેનો આદર અને વિનય વડે સાધક નિર્વિઘ્ન આ માર્ગે આગળ વધે
કેવળ દેહને દમવાથી કે મનને દબાવવાથી બંધનમુક્ત થઈ શકાતું નથી. સૂક્ષ્મ મન સક્રિય છે ત્યાં સુધી પ્રમાદવશ વાસના-વૃત્તિઓ ઊઠશે, પરંતુ ધ્યાન દ્વારા, ચિત્તની એકાગ્રતા દ્વારા સૂક્ષ્મ મનને જાણી શકાય છે અને તેને શાંત કરી શકાય છે. તે પછી નિર્વિલ્પતાનો કંઈક અંશ અનુભવાય છે. જ્ઞાનીને આ અનુભવ વારંવાર થાય છે. દીર્ઘકાળના અભ્યાસ વડે સાધકને કવચિત્ કે ભૂમિકા અનુસાર એવો અંશ અનુભવમાં આવે છે. જ્ઞાનીની અંતરંગ દશા :
જ્ઞાની સવિકલ્પદશામાં અને નિર્વિકલ્પદશામાં સ્વરૂપને જાણે છે. નિર્વિકલ્પદશામાં જ્ઞાન દ્વારા સ્વરૂપને શુદ્ધાત્માને જાણે છે. અને સવિકલ્પદશામાં બહારના શેયરૂપ પદાર્થોને સહજપણે જાણે છે. સવિકલ્પદશામાં પણ તેને મુખ્યપણે શુભ પરિણામ હોય છે. નિર્વિકલ્પતામાં સમસ્ત ભાવોથી મુક્ત દશા હોય છે.
જેટલી વીતરાગતા તેટલું આત્મિક સુખ. એ સુખ જ્ઞાનીને સવિકલ્પદશામાં ગૌણરૂપે હોય છે અને નિર્વિકલ્પદશામાં પરમ સુખ હોય છે. - જ્ઞાનીને ચેતનારૂપ હુરણો હોવાથી પાપ-ઉત્પાદક સંયોગોથી પ્રાયે તે દૂર રહે છે, કવચિત્ તેનો ઉદય હોય તોપણ જ્ઞાની સમ્યગુઉપયોગમાં રહે છે, જેથી તેવા સંયોગો પણ જ્ઞાનને આવરણ કરતા નથી. નિજશક્તિ અનુસાર જ્ઞાની વારંવાર સ્વરૂપમાં લીન થતો રહે છે, તેથી સાંસારિક જોશો ખરી પડે અને ચિંતનમાં આત્મસુખની ઝલક અનુભવાય છે. ધ્યાનમાર્ગના અભ્યાસની ફળશ્રુતિ :
ધ્યાનમાર્ગ એ શુદ્ધાત્માને પ્રગટ કરવાનો અને નિજસ્વરૂપને અનુભવવાનો માર્ગ છે. પ્રારંભમાં સાધકને પ્રશ્ન થાય કે આ સાધના
૨૫.