________________
મહાવીર પ્રભુનો ઉપદેશ છે કે સાધુ (સાધક, વિવેકથી બેસે, વિવેકથી ઊઠે, વિવેકથી ચાલે, વિવેકથી બોલે, વિવેકથી આહાર લે, એમ સર્વ ક્રિયા વિવેકપૂર્વક કરે. માનવ માટે કેવળ ખાવું, પીવું, હરવું કે ફરવું તેમાં આત્માનું શ્રેય નથી, તેવા જીવનનું કંઈ મૂલ્ય નથી. વિવેકનો અર્થ કેવળ “આ કરવું અને આ ન કરવું,' તેટલો મર્યાદિત નથી. વિવેકનો અર્થ વિશદતાથી વિચારતાં તેમાં સતત આત્મજાગૃતિ પણ આવી જાય છે. તે મુક્તિનું એક અમોઘ સાધન છે. દેહભાવથી અને મનોભાવથી ઉપર ઊઠી જવું તે અપ્રમાદ છે. તેને મન પૂર્વ પ્રારબ્ધયોગે જે કંઈ ક્રિયા થાય છે તે સહજ છે, અને તેને જ્ઞાનીઓ સહજ સમાધિ કહે છે.
આત્માની ચેતનાના પ્રકાશ વગર મોટા-મોટા તેજના ગોળાની ઉપસ્થિતિ હોવા છતાં દશ્ય પદાર્થો ચક્ષુગોચર થતાં નથી, આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ચેતનાનો પ્રકાશ ચક્ષુને સહાયક છે, પરંતુ આ ચક્ષુદર્શન દેહજ ભાવોથી આવરિત છે, વળી તે ભાવોની પાછળ મનની સ્મૃતિનો ભૂતકાળ પડયો છે. તેથી બાહ્ય પદાર્થને સંસ્કારજન્ય વિષયાકારે જોવાથી ચેતનાની શક્તિનો હ્રાસ થાય છે. વિવેક દ્વારા બાહ્ય પદાર્થની સાથેનું સાધકનું તાદાભ્ય શમે, સુખબુદ્ધિ છૂટે તો ચેતનાશક્તિ સઘન થાય, જાગ્રત થાય.
જેમ સૂર્યના કિરણને કાચમાં સંગ્રહિ કરવાથી અગ્નિ પેદા થઈ શકે છે, તેમ ચેતનાની શક્તિ સંગ્રહિ થવાથી એક મહાન આત્મબળ પેદા થાય છે, તે સત્તામાં રહેલા દોષોનો-કર્મોનો નાશ કરે છે અને નવા દોષોને અટકાવે છે. સાધક આંતરબાહ્ય સમતુલા જાળવે છે. આ જ તેનું સામાયિક છે. સામાયિકની શુદ્ધ પ્રક્રિયાથી જીવન પરમવિશુદ્ધ થાય છે.
ધ્યાન-સાધકને જીવનમાં કશું પ્રાપ્ત કરી લેવાની ઉત્કટતા થતી નથી. પોતાની અંતરઅવસ્થાને યથાર્થપણે ઓળખી લે છે અને બાહ્ય સંયોગોને પણ પારખી લે છે.
ધ્યાન-સાધકને માટે અનાસક્તભાવ આવશ્યક અંગ છે. કેવળ બાહાત્યાગમાં જીવ સંજોગોને આધીન થઈ સમાધાન
૨૪