________________
રૂપાંતર થઈ પાછો આવે, લોકો તેને સહર્ષ આવકારે અને તેના ઉપભોગમાં સુખ માને. ભારતભૂમિનો ધ્યાનમાર્ગ પરમસુખદાયક હતો અને છે. કાળના પરિબળે તેમાં મંદતા આવી. ધ્યાન એક ક્રિયારૂપે રૂપાંતર કરતું કરતું વિદેશ પહોંચ્યું. વળી છેલ્લા બે દાયકામાં આ દેશના સામાન્ય જનસમૂહને પણ તે પ્રત્યે વિશેષ આકર્ષણ થયું. સાચા ધ્યાનમાર્ગની દુર્લભતા :
ગંગોત્રીના મુખમાંથી નીકળેલો પવિત્ર જળપ્રવાહ ઘણે દૂર ગયા પછી કાદવ મિશ્રિત થઈ જાય છે, તેમ મુનિઓના અને યોગીઓના હૃદયકમળમાંથી પ્રવાહિત થયેલો આ ધ્યાનપ્રવાહ સામાન્ય માનવ સુધી પહોંચીને મિશ્રિત થઈ ઘણે ભાગે વિકૃત થઈ ગયો છે. તેથી વર્તમાનકાળમાં સાચા અને પવિત્ર ધ્યાન-યોગીનો સંપર્ક થવો અને આ માર્ગે પ્રશસ્ત સાધના થવી દુર્લભ થતી ગઈ છે. છતાં સત્યપુરુષાર્થ, ચારિત્રશુદ્ધિ, તત્ત્વનો સતત દીર્ઘકાલીન અભ્યાસ અને પ્રમાદરહિત નિષ્ઠા વડે ધર્મધ્યાનની ભૂમિકાની સાધના સુસાધ્ય બને છે. વૈજ્ઞાનિકયુગની દોડમાં, ધ્યાન એ શાંતિનું મુખ્ય સાધન જેને સમજાશે તે આ માર્ગનો પથિક થશે; અને તેને માર્ગદર્શક સદ્ગુરુની પ્રાપ્તિ વહેલી-મોડી પણ અવશ્ય થશે.
સાધકે ધ્યાનના શુદ્ધ પ્રકારોને વિવેકપૂર્વક જાણવા, જોવા અને સમજવા, ભળતી ક્રિયામાં પડીને ભ્રાંતિ સેવવી નહિ અને સાચી દિશા મળે વિના વિલંબે કે વિના તર્કે યથાશક્તિ પ્રયત્નશીલ થવું.
આ ધ્યાનમાર્ગ જ્ઞાનીજનોએ પ્રાપ્ત કરેલો, પ્રગટપણે અનુભવેલો, પવિત્રતાની પ્રસિદ્ધિ પામેલો, નિરપેક્ષ સુખ-શાંતિના આધારરૂપ તથા આત્મવિકાસની ચરમસીમારૂપ છે અને તેથી પ્રારંભના અને અંતના સૌ સાધકોએ પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. ઋષિઓએ, મુનિઓએ, સંતોએ કે અધિકૃત સાધકોએ મહાન મનોજયી થઈ આ દુર્લભ માર્ગને મહાપુરુષાર્થ વડે સુસાધ્ય કર્યો છે. ધ્યાનના સાધકનું અંતરંગઃ
ધ્યાન સાધકે દઢપણે સમજી લેવું કે ધ્યાનમાર્ગ માટે કોઈ રૂઢિ,
૨૦