________________
સાધના કરવા પ્રેરાય છે અને સતુમાર્ગે વળે છે.
વૈજ્ઞાનિકયુગનાં ઉપલબ્ધ સાધનો દ્વારા દુનિયામાં માનવજાતા નજીક આવતી જાય છે તેમ કહેવાય છે. બીજી દૃષ્ટિએ જોતાં એવું જણાય છે કે માનવજાત, માનવોચિત ગુણોની અપેક્ષાએ દૂર થતી જાય છે. આવા એક સંઘર્ષના કાળે ચિંતકોને, શાણા સજ્જનોને એક વાત સમજાવા લાગી છે કે, “ધ્યાન' એ ચિત્ત-શાંતિનો અને સુખનો માર્ગ છે.
પ્રારંભિક ભૂમિકાએ જનસમૂહ ગતાનુગતિક, કુતૂહલવશ, પ્રલોભનવશ કે સાચી જિજ્ઞાસાવશ, કોઈ પણ પ્રકારે ધ્યાનમાર્ગને સૂક્ષ્મ કે સ્કૂલપણે, આંતરિક કે બાહ્ય પ્રકારે, દેહથી કે ભાવથી, શોખથી કે અંત:પ્રેરણા વડે ધ્યાન પ્રત્યે અભિમુખ થયો છે. અને ધ્યાનશિબિર, ધ્યાનકેન્દ્રો, ધ્યાનસાધના જેવા સામૂહિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. જો એ સાધના ગંભીરપણે, જીવનના એક અંગ તરીકે કરવામાં આવે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી સ્વશિક્ષણરૂપે દીર્ઘકાળ સુધી તેનું સેવન કરવામાં આવે તો સાધકની પ્રગતિ અવશ્ય થાય છે.
ભારતભૂમિનું આ સર્વોચ્ચ તત્ત્વ અમેરિકા જેવા દેશોમાં પ્રવેશ પામ્યું છે. આ દેશ અધતન સાધનોથી સંપન્ન છે, ભોગવિલાસનાં સાધનોથી ભરપૂર છે. સુખસામગ્રીના અતિરેકથી ત્યાંના માનવો કયારેક યુવાનવયમાં પણ કંટાળે છે. તેમને થાય છે કે હવે જીવનમાં સુખ કયાં મેળવવું? અને એ દેશમાં ધ્યાનમાર્ગનું કિરણ ભારતભૂમિના યોગીજનો નહિ પણ સજ્જનો દ્વારા પ્રવેશ પામ્યું.
અમેરિકા જેવા દેશમાં મૂલ્યવાન વિવિધ પ્રકારના ટી.વી.સેટ, ડીનરસેટ, સોફાસેટ, કેસેટ અને કોમ્યુટર હોવા છતાં ત્યાંનો માનવી “અપસેટ' છે. ધ્યાનમાર્ગના આછાપાતળા કિરણના પ્રકાશમાં કેટલાક માનવોને સમજાયું કે આ કોઈ સેટ' થવાનું ઉત્તમ સાધન છે, ચિત્તશાંતિનું સાધન છે.
આશ્ચર્યની વાત એ છે કે ભારતભૂમિમાં સુખનું આવું અમોઘ સાધન હોવા છતાં, અહીંના માનવોને પરદેશી વસ્તુઓનું ઘેલું લાગ્યું છે. ભારતનો કાચો માલ પરદેશ જાય, ત્યાંથી
૧૯