SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શિથિલ થયે, આ માર્ગે યાત્રા સંભવિત છે. મુક્તિ પ્રત્યે દોરી જતો ધ્યાનમાર્ગ, યોગાભ્યાસ વડે સુસાધ્ય થઈ શકે છે. જૈનદર્શનના કેટલાક પૂર્વાચાર્યોએ એ કારણથી અષ્ટાંગ યોગને સમર્થન આપ્યું છે. મુક્તિમાર્ગમાં યોજે તે “યોગ” છે એમ પ્રકાશ્ય છે ? ધ્યાનમાર્ગમાં ભાવના, તપ, જપ, ઈત્યાદિ સહાયક તત્ત્વો છે, તે દ્વારા વીતરાગભાવની દઢતા થતી રહે છે. સંસારી જીવ કોઈ અવલંબન વગર આ માર્ગે સરળતાથી જઈ શકતો નથી. કવચિત્ એવી ક્રિયાઓનું સેવન કરીને તેને ધર્મધ્યાન માની લેવામાં આવે તો, તે બાળચેષ્ટારૂપ છે. વાસ્તવિક ધર્મની બાહ્યક્રિયા વડે શુભભાવ સુધી પહોંચી શકાય, ધર્મધ્યાન તેની આગળની વિશુદ્ધિની ભૂમિકા છે, તે માર્ગના પ્રવેશની પ્રથમ શરત “વીતરાગતા” અર્થાત્ અનાસક્તિ છે. તે પછી અભ્યાસ અને સદ્ગગમે જ્ઞાન-ધ્યાન સંભવ બને છે. મહાત્માઓએ આત્મજ્ઞાન વડે આ માર્ગ કલ્યાણ સાધ્યું છે. વર્તમાનમાં ધ્યાન પ્રત્યેનો અભિગમ : ભારતમાં અને પરદેશમાં લગભગ છેલ્લા એક-બે દસકામાં ધ્યાન'નો શબ્દરૂપે, સાધનારૂપે, ક્રિયારૂપે અને યોગાભ્યાસની રીતે પ્રચાર થયો છે. ભારતવર્ષના યોગીઓ અને મુનિઓની અંતરંગ અવસ્થાનું સત્ત્વ ક્રિયારૂપે પ્રગટ થયું, અને સામાન્ય જનસમૂહ સુધી પહોંચ્યું, તે ગાળામાં અનાજ સાથે ઘાસ ઊગી નીકળે છે તેમ, ધ્યાન સાથે ઘણાં સઅસ વિધિવિધાનો પ્રગટ થયાં. ધ્યાનની પ્રશસ્ત ઉપાસના વડે જ્ઞાની-અનુભવી જનોએ આત્મકલ્યાણ સાધ્યું, અને દૈહિક સુખની અપેક્ષાવાળા સાધકોએ, (કહેવાતા સંતો-યોગીઓએ) જનસમૂહને ચમત્કાર જેવાં પ્રલોભનોમાં આકર્ષિત કરી અસત્ માર્ગે દોર્યા. વર્તમાનમાં હજી આવાં ઘણાં પ્રકારકાર્યો અસ્તિત્વ ધરાવે છે, છતાં સાચા જિજ્ઞાસુઓનાં હૃદયમાં એક વાત સમજાઈ કે : “તરતિ શી માત્મવ” “આત્મજ્ઞાની પુરુષ શોકને તરે છે” આ હકીકતને લક્ષમાં રાખી સાધકો ધ્યાનમાર્ગમાં આત્મશ્રેય સમજી સદ્ગુરુની નિશ્રામાં નિષ્ઠાપૂર્વક ૧૮
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy