SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કાલ્પનિક ક્રિયા, રંજનરૂપ માન્યતા, સામૂહિક કે ઉત્તેજિત આયોજનો ઉપયોગી નથી. પ્રારંભમાં સામૂહિક સૌમ્ય આયોજન, પવિત્ર વાતાવરણ અને સદ્ગુરુની નિશ્રા સહાયક છે. આગળની ભૂમિકાએ માર્ગદર્શન સાથે સન્માર્ગની તાત્વિક શ્રદ્ધા, સ્વયંનો પુરુષાર્થ, ચારિત્ર્યશુદ્ધિ અને એકાંતમાં મૌનસહિતનો અભ્યાસ, આ સઘળાં તત્ત્વો આવશ્યક છે. આટલી ભૂમિકા પછી આ માર્ગે સહજ અને સરળપણે આગળ વધાય ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસ પછી સાધકની ચિત્તધારાનો પ્રવાહ જ પરિવર્તન પામે છે. જગતના પાર્થિવ પદાર્થો પ્રત્યેની દોડ શમી જાય છે, અને જ્ઞાનધારા આત્મા પ્રત્યે ઝૂકેલી રહે છે. અનંતકાળની કર્મધારાની શૃંખલા અહીં શિથિલ થાય છે. આવી દશાવાળો સાધક ખાય-પીએ, હરે ફરે, પહેરે-ઓઢે, જાગે-સૂએ, દરેક ક્રિયામાં સમ્યગુભાવે કશા દબાવ કે તનાવ વગર સહજપણે જીવનનિર્વાહ કરે છે, તટસ્થતાપૂર્વક વર્તે છે, આત્મલક્ષને જાણે છે અને આત્મભાવને માણે છે. તેથી જ કહ્યું : અહો ! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતગર્ત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. (શ્રી લાલા રણજિતસિંહજીકૃત બૃહદ આલોચનાપાઠ) હાવભાવ વિધવિધના કરતી, દૃષ્ટિ આડી અવળી ફરતી; હેલ નજરથી યુવતિ જેમ ચૂકે નહિ રે, જ્ઞાની જ્ઞાનદશાનો દોર કદી ચૂકે નહિ રે.” (અજ્ઞાત) “આસક્ત નહિ જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે શોક તેની પ્રજ્ઞા થઈ સ્થિર.” ૪ (સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ, શ્રી ભગવદ્ગીતા) ધ્યાનમાર્ગનો સાચો સાધક સમ્યગ્ દૃષ્ટિવાન અને શીલવાન હોય છે. સમતારસથી તેનું અંતરંગ સભર હોય છે. વ્યવહારમાં વિવેકપૂર્વક સભાનપણે વર્તે છે. તેમાં અનુકૂળતા હો-પ્રતિકૂળતા હો,
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy