________________
પ્રગટ કર્યો છે. ધ્યાન એ પરમતત્ત્વ સાથેની એકતાનું અંતિમ સાધન છે, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા તે અનુભવગમ્ય, વચનાતીત, વર્ણનાતીત અવસ્થા છે તેમ, સૌ મહાત્માઓએ નિરૂપણ કર્યું છે.
જેનાગમમાં તપ, જપ અને સ્વાધ્યાયને ધ્યાનનું આંશિક રૂપ આપવામાં આવ્યું છે, પરંતુ તે બાહ્યરૂપે સમાવિષ્ટ થયું છે. ધ્યાનની એ સૂમ ક્રિયામાં તપાદિ સમાઈ જાય છે. તેથી ધ્યાનના મુખ્ય અધિકારી અપ્રમત્ત દશાવાન મુનિઓને કહ્યા છે. આથી જૈન સમાજમાં સામાન્યપણે શ્રાવક અને સાધુજનો માટે “ધ્યાનધારા” જાણે કે મહદ્ અંશે ગૌણ થતી જણાય છે. જવલ્લે જ સાધુજનો ધ્યાનને જપ કે સ્વાધ્યાય સિવાય પ્રયોગાત્મક કે અનુભવાત્મક રૂપ આપી ગહન સાધના કરતા કે કરાવતા હશે. જપ એ ધ્યાનનું આંશિક અને પ્રારંભિક અનુષ્ઠાન છે, પરંતુ તે પણ એક નિત્યક્રમ જેવું થઈ પડયું છે.
કાર્યોત્સર્ગને (દેહભાવથી ઉત્થાન) કે કાઉસગ્ગધ્યાનને (નવકાર મંત્રનું કે લોગસ્સ સૂત્ર અર્થાત્ ચોવીશ જિનવંદનાનું ચિંતનરૂપ કે જપરૂપ ધ્યાન) કે સ્વાધ્યાયને ધ્યાનના પ્રકારમાં સમાવિષ્ટ કર્યા છે. તે વાસ્તવિક રીતે “ધર્મધ્યાન' નથી, પરંતુ તે પહેલાની ચિત્ત સ્થિરતાની ભૂમિકા છે.
ધ્યાનમાર્ગનું વિશદ, વૈજ્ઞાનિક અને સચોટ વર્ણન જૈનદર્શનના અનેક સમર્થ આચાર્યોએ કર્યું છે જેમાં શ્રી સ્વામી કાર્તિકેય મુનિ, શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી ઉમાસ્વાતિઆચાર્ય, શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી શુભચન્દ્રાચાર્ય, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી દેવસેનાચાર્ય, શ્રી નાગસેનમુનિ તથા શ્રી યશોવિજયજી, શ્રી ચિદાનંદજી અને શ્રી કેસરસૂરીજી વિગેરે મુખ્ય છે.
આમ તત્ત્વાર્થસૂત્ર (ટીકાઓ સહિત), સમાધિશતક, યોગશાસ્ત્ર, યોગદૃષ્ટિસમુચ્ચય, ભગવતી આરાધના, સ્થાનાંગ, આદિપુરાણ, ધવલા, જ્ઞાનાર્ણવ, ધ્યાનશતક, તત્ત્વાનુશાસન, ધ્યાનદીપિકા વગેરે ગ્રંથોમાં ધ્યાન વિષેના ચાર પ્રકારોનો અભ્યાધિક વિસ્તાર જોવા મળે છે. તેમાં પ્રરૂપિત વિષયવસ્તુમાં વિશેષ અંતર જોવા મળતું નથી. જેને પરંપરાની આ શિસ્ત અને પ્રણાલિ રહી છે. પૂર્વાચાર્યોના ગ્રંથોની પ્રરૂપણાની