________________
પ્રણાલિને સન્માનપૂર્વક જાળવતા પણ, પોત પોતાની શક્તિ પ્રમાણે રોજ-બરોજના જીવનમાં પ્રયોગમાં લાવી શકાય તેવી સાધના પદ્ધતિનું સંશોધન ધ્યાનમાર્ગમાં કરવાની આ સમયે તાતી જરૂરિયાત ઊભી થઈ છે; જેના વિના ભગવાન મહાવીરપ્રણીત ધર્મના હાર્દરૂપ સ્વાનુભૂતિરૂપ નિશ્ચય મોક્ષમાર્ગની અવગણના થયા બરાબર ગણાશે.
ધર્મધ્યાનના ઉત્તમ પ્રકારોના વિચાર-વિનિમય પ્રત્યે કે આરાધના જેવા પરમ ઉપયોગી વિષય પ્રત્યે સાધુજનો અને શ્રાવકો હાલ પાયે ઉદાસીન છે. ધર્મક્રિયાને ધર્મધ્યાનની માન્યતા આપી શ્રાવકોને તેવું સમજાવી સંતોષ માનવામાં આવે છે, તેથી ધ્યાન દ્વારા થવા યોગ્ય જીવનશુદ્ધિનું અને જીવનપરિવર્તનનું કાર્ય ક્વચિત્ જ થતું દેખવામાં આવે છે. ધર્મક્રિયાનો પરિશ્રમ જાણે કે બાળચેષ્ટારૂપે થતો જાય છે, અને મૂળમાર્ગના આરાધનથી સાધકો પ્રાયે દૂર થતા હોય તેવું જણાય
અન્ય આધ્યાત્મિક પ્રવાહોમાં ધ્યાનની ક્રિયા સ્થૂળરૂપે અસ્તિત્વમાં છે. અથવા યોગાભ્યાસના એક અંગરૂપે છે. તેના વિવિધ પ્રકારો પ્રકાશમાં આવ્યા છે. જૈનદર્શનના ગ્રંથોમાં ધ્યાન વિષે દઢ સિદ્ધાંતનિષ્ઠા, સૂક્ષ્મતા, સંયમ-આરાધના અને ગંભીરતા સવિશેષપણે જોવા મળે છે, તેથી સંભવ છે કે, સાંપ્રત જૈન સમાજમાં ધ્યાન વિષેની સુનિર્દિષ્ટ સાધનાપદ્ધતિ પ્રયોગરૂપે અસ્તિત્વમાં જણાતી નથી, પણ આગળ જણાવ્યું તેમ તેની અત્યંત આવશ્યકતા છે. - વર્તમાનયુગમાં, જૈનદર્શનના ધ્યાનના પ્રકારોથી ભિન્નપણે ધ્યાનમાર્ગની વિવિધ પદ્ધતિઓ, અભ્યાસ, પ્રયોગો અને ગ્રંથો અસ્તિત્વ ધરાવે છે. ધ્યાન ક્રિયારૂપે કે અનુષ્ઠાનરૂપે સરળ અને જનભોગ્ય થતું જાય છે. યોગીજનોએ આ ક્ષેત્રમાં ઘણું ખેડાણ કર્યું છે અને કરતા રહ્યા છે. તેમાં અષ્ટાંગયોગ માટે “યોગદર્શનનો અને વર્તમાનમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોનો આધાર લેવામાં આવે છે.
અષ્ટાંગયોગ પ્રરૂપિત સમાધિ અવસ્થા વિષે જોતાં એમ જણાય છે કે, જૈનદર્શન અન્વયે પૂર્ણજ્ઞાન (કેવળજ્ઞાન) કે સર્વજ્ઞના ધ્યાનની તુલનાએ, એ સમાધિ અવસ્થા પૂર્ણ શુદ્ધધ્યાનાવસ્થા નથી. ધ્યાનના