________________
અનુભવીના માર્ગદર્શન સહિત સ્વ-પુરુષાર્થ કરવાની અદમ્ય જિજ્ઞાસા રાખી આગળ વધવું. તે પછી એનો રસાસ્વાદ જ એવો છે કે આ માર્ગના વિવિધ સ્તરો સાધકને આકર્ષી લે છે અને સાધક તેમાં વધુ ને વધુ ઊંડો ઊતરવા પ્રેરાય છે. તે માટે આ સ્વાધ્યાયનો ચિંતનપૂર્વક અભ્યાસ સહાયક થશે.
મંગળ પ્રારંભ मोक्षमार्गस्य नेतारं भत्तारं कर्ममूभृताम् ।
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये ॥ “મોક્ષમાર્ગના નેતા - મોક્ષે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેરા - ભેદનાર, સમગ્ર જ્ઞાતા - જાણનાર, તેને તે ગુણની પ્રાપ્તિ માટે વંદું છું”
- પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય
ॐकारं बिन्दु संयुक्त, नित्यं ध्यायन्ति योगिनः ।
___कामदं मोक्षदं चैव, ॐकाराय नमोनमः ॥ યોગીઓ બિંદુ સહિત ૐકાર પ્રણવ મંત્રનું નિત્ય ધ્યાન કરે છે. એ સર્વ વાંછિત વસ્તુને અને મોક્ષને આપનાર છે. આવા ૐકારને વારંવાર નમસ્કાર.”
अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया ।
चक्षुरुन्मीलितं येन, तस्मै श्री गुरुवे नमः ॥ “અજ્ઞાનરૂપી અંધકારથી અંધ ચક્ષુ જેણે જ્ઞાનરૂપી અંજનશલાકાથીઆંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર !
ઉપરના શ્લોકોમાં દર્શાવ્યા છે તેવા પરમાત્માને અને સગુરુને પ્રણમી સ્વાધ્યાય અર્થે પ્રસ્તુત ગ્રંથ લખવાનો પ્રારંભ કરીએ છીએ. પૂર્વાચાર્યો દ્વારા પ્રરૂપિત ગ્રંથોમાં ધ્યાન :
પ્રાચીન યુગ પ્રત્યે દૃષ્ટિ કરતાં એમ સ્પષ્ટ થાય છે કે, “ધ્યાનમાર્ગ એ ભારતભૂમિનું સર્વોચ્ચ સર્જન છે. પૂર્વાચાર્યોએ અને ઋષિમુનિઓએ ધ્યાન વડે અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરી છે, આત્માને દેહદેવળમાં
૧ ૨