________________
આવૃત્તિમાં તેને સુધારી લેવામાં આવશે. (૫) ધ્યાન” વિષે વર્તમાનકાળમાં જે નિરસન કરેલું છે, તેમાં માત્ર
સત્યના સ્થાપનની જ દૃષ્ટિ છે. જમાના પ્રમાણે લોકોને ધ્યાનની સિદ્ધિ “મફત'માં જોઈએ છે તો તે બની શકે નહીં, તેની યોગ્ય
કિંમત ચૂકવવી જ પડે તેમ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. (૬) “યોગ' (Yoga)ની ફેશનવાળા આ જમાનામાં ઘણા લોકોને વિવિધ
કારણોસર યોગસાધનામાં રસ છે. આ વિષયનાં વિવિધ પાસાંઓનું આલેખન અને સ્પષ્ટીકરણ સાતમા સ્વાધ્યાયમાં કરેલ છે. જેનું વાચન ઘણા વિશાળ, જનસમૂહને ઉપયોગી, રસપ્રદ અને વિચારપ્રેરક હોવાથી તે વાંચવા ખાસ ભલામણ છે. જેઓ સાચી ધ્યાનસાધના કરવા માગે છે તેમને માટે નવમા સ્વાધ્યાયમાં દર્શાવેલી સીધી, સચોટ અને પ્રાયોગિક સૂચનાઓ ખૂબ જ સહાયક થાય એવી છે. વળી ધ્યાનનું માહાભ્ય અને તે માર્ગની સાધનામાં જે ઉત્સાહવર્ધક પ્રેરણા ઉપસંહારના સ્વાધ્યાયમાં આપી છે તે પણ નિખાલસ સાધકવર્ગના હૃદયને સ્પર્શી જાય તેવી છે. ધ્યાનમાર્ગની સાધનામાં જેઓ બહુ આગળ વધેલા હોય તેવા જ્ઞાની વિરક્ત સાધકોની સંખ્યા આ જમાનામાં ઘણી થોડી છે. આવા સાધકોને માટે જો કે આ ગ્રંથ મુખ્યપણે ઉપયોગી નથી. છતાં, તેમને પણ પોતાની અધ્યાત્મદશાનું મૂલ્યાંકન કરવામાં સરળતા પડે તે માટે પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષો દ્વારા પ્રણીત વિવિધ ગ્રંથોમાંથી ચૂંટી કાઢેલું ઉત્તમ ધ્યાનવિષયક પાથેય સમજી શકાય તેવી સરળ ભાષામાં પૂર્તિમાં અવતરિત કરેલ છે. આ પૂર્તિ બે વિભાગમાં વહેંચી છે-અર્વાચીન અને પ્રાચીન.
રોજબરોજની સાધનામાં વિશેષપણે ઉપયોગી હોવાથી અને સરળપણે સમજી શકાય તેવો હોવાથી અર્વાચીન વિભાગ પહેલો મૂક્યો છે. ગુણવત્તાની અને અધિકૃતતાની અપેક્ષાએ વિશેષ હોવા છતાં જટિલતાને લીધે તથા દૂરવર્તી કાળમાં લખાયેલ હોવાને લીધે પ્રાચીન વિભાગને પાછળ મૂક્યો છે. વિવિધ કક્ષાના અભ્યાસીઓને અને