________________
સાધકોને આ પૂર્તિમાંથી પોતાને યોગ્ય સારી એવી માહિતી, માર્ગદર્શન, પ્રેરણા અને ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થશે એવી આશા છે.
પોતાના અભ્યાસપૂર્ણ, શિસ્તબદ્ધ અને ધર્મ-સાધનાથી રંગાયેલા સેવાપરાયણ અને વિદ્યાપરાયણ જીવનની ફળશ્રુતિનો થોડો લાભ આ ગ્રંથ દ્વારા લેખકે આધ્યાત્મિક સાહિત્યનું પ્રકાશન કરનારી આ સંસ્થાને આપ્યો તે બદલ સંસ્થાના સંચાલકો વતી તથા તેની સાહિત્ય પ્રકાશન સમિતિ તરફથી તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને તેમની સભાવના સંસ્થાને ભવિષ્યમાં પણ મળતી રહેશે તેવી ભાવના ભાવીએ છીએ. 3 શાંતિઃ
- મુકુન્દ સોનેજી
હાલ : સંત આત્માનંદજી
શ્રી આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા. –– –––– ––– –– ––– –– –– ––– ––
* હાર્દિક અભિવાદન * ૧૯૯૦માં મારી અમેરીકાની સત્સંગ યાત્રાનો પ્રારંભ થયો તે દરમ્યાન વિવિધ સ્થળોએ સત્સંગ સ્વાધ્યાય યોજાતા હતા. તે પ્રમાણે ઓરલાન્ડો સીટીમાં શ્રી ધર્મબહેન, દીપકભાઈ અને અન્ય મિત્રોના સહકારથી સ્વાધ્યાય આયોજન લગભગ દસ વર્ષોથી થતું રહ્યું. અકસ્માતને કારણે અમેરીકાની સત્સંગ યાત્રા પર નિયંત્રણ આવ્યું. પરંતુ મિત્રોએ સત્સંગનો આદર જાળવી રાખ્યો. અને તેઓ ભારત આવતા ત્યારે અંતરના આદરપૂર્વક સંપર્ક રાખતા. ધર્મીબહેન અને દીપકભાઈ તેમાં ખરા. ૨૦૧૫માં ભારત આવ્યા અને તેમણે આ પુસ્તક પ્રકાશનની સવિશેષ બંનેના માતા-પિતા સ્મરણાર્થેની શુભભાવના રજુ કરી. મેં સહર્ષ સ્વીકારી અને પ્રસ્તુત પુસ્તક ત્રીજી આવૃતિમાં પ્રકાશિત થયું. તે માટે તેમનું હાર્દિક અભિવાદન કરું છું.
પુસ્તક પ્રકાશનમાં હાલ સાધના કેન્દ્ર કોબાના ઉત્તરાધિકારી શ્રી શર્મિષ્ઠાબહેન તથા સંસ્થાના ટ્રસ્ટીમંડળની સંમતિ મળી છે માટે હાર્દિક પ્રસન્નતા અનુભવું છું.
- સુનંદાબહેન