________________
વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલા વિવિધ અનુભવોને પણ જોડ્યા છે. યોગાનુયોગે ઘટિત થયેલા એવા તેમના સ્વ-પર-કલ્યાણકારી આ પ્રેમ-પરિશ્રમને સાધક-મુમુક્ષુઓ આવકારશે અને તેમાં રહેલાં સત્ત્વ, તત્ત્વ અને સત્યને ગ્રહણ કરશે એવી ભાવના છે. ગ્રંથની ઉપયોગિતા અને મર્યાદા :
આ ગ્રંથ વિશાળ વાચકવર્ગને ઉપયોગી બની શકે તેવો છે. તેની શૈલી સરળ, સરસ અને ધારાપ્રવાહી હોવા ઉપરાંત રોજિંદા જીવનના દૃષ્ટાંતાદિથી પણ વિભૂષિત છે. તેથી સામાન્ય ધર્મપ્રેમી જનતા પણ તેનો અમુક અંશે આસ્વાદ લઈ શકશે. ધ્યાનમાં રસ ધરાવનાર વાચકોમાંથી પ્રારંભિક અને મધ્યમ કક્ષાના સાધકોને માટે આ ગ્રંથનું વાચન વિશેષપણે ઉપકારી નીવડશે.
આ ગ્રંથના આયોજન, વાચન અને મનન દરમ્યાન તેની કેટલીક વિશેષતાઓ લક્ષમાં આવી છે જે પ્રત્યે વાચકમિત્રોનું ધ્યાન દોરવામાં આવે છે, કે જેથી તેઓને પણ વિષયને સમજવામાં, ગ્રંથમાં સૂચવવામાં આવેલ પ્રયોગોને જીવનમાં ઉતારવામાં અને ગ્રંથનું મૂલ્યાંકન કરતી વેળાએ યોગ્ય દૃષ્ટિ અપનાવવામાં સરળતા પડશે. (૧) ગ્રંથનું મુખ્ય પ્રયોજન મધ્યમકક્ષા સુધી પહોંચેલા ધ્યાનના સાધકોને
માર્ગદર્શન અને પ્રેરણા આપવાનું છે. (ર) વિષયની રજૂઆતમાં સૈદ્ધાંતિક દૃષ્ટિને મુખ્ય ન કરતાં આધ્યાત્મિક - દૃષ્ટિને મુખ્ય કરી છે જેથી નાતજાતના ભેદ વિના વિશાળ
વાચકવર્ગને તે ઉપયોગી થઈ શકે. (૩) સામાન્ય જનસમૂહ પણ સમજી શકે અને તેનો લાભ લઈ શકે
તે આશયથી સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરેલો છે. (૪) પૂર્વાચાર્યોએ પ્રણીત કરેલા સિદ્ધાંતોને બાધા ન આવે તેની સર્વ
સાવધાની રાખી વિષયની રજૂઆત કરી છે. પરંતુ ધ્યાનમાર્ગનો અને યોગસાધનાનો વિષય અનેક ગૂઢ રહસ્યોથી ભરેલો છે. આવા વિષયને સરળ શૈલીમાં રજૂ કરવાનું કાર્ય કપરું છે, જેથી ક્યાંક કોઈક ત્રુટિ રહેવાનો સંભવ છે. ઉદાર દૃષ્ટિવાળા વિદ્વજ્જનો આવી ત્રુટિ માટે પ્રકાશક સંસ્થાને લખશે તો સાભાર આગળની