________________
પુનઃ પ્રકાશિત કરવાનો ધર્મબહેન અને દીપકભાઈનો ભાવભર્યો આગ્રહ હતો વળી તેમાં છેલ્લા વર્ષોની સાધના એ તો તમારી જીવનયાત્રાનો નિચોડ છે, તેનો પ્રત્યક્ષ લાભ સ્થાયી સત્સંગીઓને મળે છે પણ અમને લેખનમાં આપવો જોઈએ. તેમની આવી ભાવનાથી કંઈક લેખન થયું છે. જેમાં બંને આવૃત્તિનો હેતુ સમાવી લીધો છે.
લગભગ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી મારા નિવાસે વિવિધ તાત્વિક ગ્રંથોના સ્વાધ્યાયનું આદાન-પ્રદાન થતું રહ્યું છે. જે આજ પર્યત ચાલુ છે. દરેક સપ્તાહના લગભગ ૧ર જેવા સત્સંગ સ્વાધ્યાયનો યોગ રહે છે તેમાં તત્ત્વાર્થ સૂત્ર, પ્રશમરતિ, જ્ઞાનસાર, આત્મઉત્થાનનો પાયો, દ્રવ્યસંગ્રહ અને કર્મગ્રંથ જેવા ગ્રંથોનું અધ્યયન થયું છે. સાલંબન ધાનની ભૂમિકા પણ સૌએ ઉત્સાહપૂર્વક આરાધી છે તેનો આનંદ છે.
પ્રભુ ભક્તિ, સદ્ગુરુ આચાર્યોના સમાગમ અને શાસ્ત્રોનું નવનીત અંતરંગ અવસ્થાને અજવાળતું રહ્યું છે તે દેવ કૃપા, તેમાં સત્સંગીઓનો સાથ તે મારા જીવનવિકાસની કડીઓ છે.
પરદેશના સત્સંગી મિત્રોની જીવંત અવિરત ચાહના અંતરંગ પ્રેરણાનો સ્ત્રોત છે. તેમના શબ્દોમાં “તમે મોતી વેરીને ગયા છો તેને વીણીને જીવન સજાવીએ છીએ. અમારા હવેના નિવૃત્તકાળે તે સંગ્રહને ચરિતાર્થ કરવાનો લ્હાવો મળ્યાનો આનંદ અનુભવીએ છીએ.”
વાસ્તવમાં ઘણા સાધકો આ કેડીને કંડારી રહ્યા છે તેનો આનંદ છે. સવિશેષ આ આવૃત્તિમાં શ્રીમદ્ રાજચંદ્ર આરાધના કેન્દ્રના ટ્રસ્ટી મંડળ વતી પૂ. શ્રી શર્મિષ્ઠાબહેનની સંમતિ મળી છે તે માટે આભારી છું. ત્રીસ વર્ષ ઉપરાંતના પ્રસ્તુત પુસ્તકના પુનઃ પ્રકાશનની ભાવના યુક્ત શ્રી ધર્મીબહેન અને શ્રી દીપકભાઈ શાહ તથા સત્સંગી મિત્રોની આભારી છું.
- સુનંદાબહેન