________________
અને સાધનાની અંતર કેડી કંડારાતી જાય છે. જો કે હજી અપૂર્ણ દશા છે. ચઢ-ઊતરની ભૂમિકા છે, તે સ્વીકારી છે છતાં લક્ષ્ય તરફ અનુસંધાન થયું તેમાં તેઓ સૌની કૃપા છે.
ત્રીજી આવૃત્તિમાં કરેલી પૂર્તિ :
પહેલી અને બીજી આવૃત્તિમાં જે પદ્ધતિ લીધેલી હતી તે જ પ્રમાણે આ આવૃત્તિમાં ઉમેરો કર્યો છે, અને અગાઉના લેખનમાં કાંક સંક્ષેપ કર્યો છે. છતાં તેનો મર્મ સાચવીને કર્યો છે. આ આવૃત્તિમાં આ ત્રીસ વર્ષના ગાળામાં નવ પ્રકાશિત એવા ગ્રંથોના સંક્ષેપ સારની પૂર્તિ કરી છે. તે તે ગ્રંથોમાં અદ્ભુત રસાયણ ભર્યું છે. તેનું સૌ પાન કરે, જીવન સાર્થક કરે તેવી શુભભાવના રાખું છું, અંગત રીતે જણાવું તો મને આત્મિક આનંદનો અનુભવ તે સૌના સહકારથી-નિમિત્તથી થયો છે. આંતરિક અવસ્થા વિષે લખવા કરતાં શમાવવું તેમ માનું છું. તેથી ઉપરની વિગત જણાવી છે.
વળી આ ત્રીજી આવૃત્તિમાં ઠીક ઠીક ઉમેરો કર્યો છે કારણ કે આ ત્રીસ વર્ષમાં-તેમાં ય છેલ્લા ૨૫વર્ષના ગાળામાં મહાન આચાર્યોનો સમાગમ કે જેમના ઉપદેશથી જીવનના યૌવનકાળમાં પૂજ્ય આચાર્યોના મળેલા સમાગમથી મળેલા સંસ્કારની જે પુષ્ટિ થઈ શકી ન હતી, વીતરાગ માર્ગની શ્રદ્ધા છતાં તેના યોગમાં અંતરાય થયા, તે વર્તમાન આચાર્યોના સમાગમથી પ્રેરણારૂપ અને પ્રેરક થયા. વીતરાગ માર્ગની કેડી પર પગરણ થયું તે પુણ્ય યોગ અને દેવગુરુની કૃપા છે.
આમ પણ આ જીવન દેવગુરુના કૃપામૃત, અપંગો અને નિઃસહાય બહેનોને વાત્સલ્યભરી કેડીએ પગ મૂકવા તક મળેલી તેમાં તેમની દૂઆ અને દેશ-પરદેશ સૌ સત્સંગીઓની શુભ ભાવના-આવા કારણોથી આ જીવન નૈયા આરાધનના માર્ગે નિર્વિઘ્ને તરે છે.
આ કૃપા, દૂઆ અને સદ્ભાવનાના ત્રિવેણી સંગમ સ્થાનમાં જીવન નૈયા તરતી રહી છે. દેવગુરુ કૃપા વડે તેમની આજ્ઞામાં રહી યથાશક્તિ જ્ઞાન-શુદ્ધ ધર્મની આરાધના થતી રહે. સૌ તેમાં સાથ આપે, લાભ લે તેવી મનોકામના સાથે રાખું છું.
આ ત્રીજી આવૃત્તિમાં કંઈ લખવાનું હતું નહિ પણ પ્રસ્તુત પુસ્તકને
૪