SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગદર્શન આપ્યું. - ત્યાર પછી ૧૯૯૦ થી પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજીનો સમાગમ ૨૦૦૬ સુધી સઘન રહ્યો. તેઓએ જ્ઞાનસારના પૂર્ણતા જેવા અષ્ટકોનો મર્મસ્પર્શી અભ્યાસ કરાવ્યો પૂ. શ્રી દેવચંદ્રાચાર્ય રચિત કેટલાક સ્તવનનો મર્મ સમજાવ્યો. અને તાત્ત્વિકભાવની ખૂટતી કડી જોડી આપી. તેમાં તેમની આધ્યાત્મિક લબ્ધિના દર્શન થયા, જીવનમાં ધન્યતા અનુભવી. આજે પણ તે સાતત્ય જળવાયું છે. પુણ્યયોગે આ યાત્રા આગળ વધતી રહી અને પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં શત્રુંજય તીર્થમાં તેમના સાન્નિધ્યમાં પ્રવર્તમાન ભક્તયોગી આચાર્ય શ્રી યશોવિજ્યસૂરિજીનો સમાગમ થયો. આજ પર્યત તેમના બોધનું સાતત્ય મળતું રહ્યું છે. આ બધા સંયોગોમાં ૧૯૮૪માં કોબા કેન્દ્ર દ્વારા પૂ. શ્રી સોનેજીની પ્રેરણાથી આફ્રિકા-લંડન સત્સંગ યાત્રા યોજાતી હતી. ત્યાર પછી અમેરીકાના જિજ્ઞાસુ શ્રી વિણાબહેન અને મહેન્દ્રભાઈ ખંધાર દ્વારા અમેરીકાની સત્સંગ યાત્રાનો પ્રારંભ થયો. ત્યાર પછી અન્ય સંઘોના આમંત્રણથી સત્સંગ યાત્રા વિસ્તાર પામી. એ પંદર વર્ષમાં લગભગ વીસેક જેવા સ્થળોએ નવતત્ત્વાદિ અનેક ગ્રંથોના સ્વાધ્યાય થયા. અને ૬૦ જેવા પુસ્તકોનું પ્રકાશન થયું. ૨૦૦૬ના મારા અકસ્માત પછી મારી પરદેશ સત્સંગ યાત્રાનું પૂર્ણવિરામ થયું. ત્યારથી ત્યાંના નિકટવર્તી જિજ્ઞાસુઓ અમદાવાદ સત્સંગ માટે આવતા. યોગાનુયોગ એવો યોગ મળ્યો કે સ્વાધ્યાયકાર શ્રી ગીરીશભાઈ અને સુશીલાબેનની પ્રેરણાથી થોડા જિજ્ઞાસુઓ સાથે આવતા. તેથી અમે સૌ પૂ. શ્રી યશોવિજ્યસૂરિની જ્યાં સ્થિરતા હોય ત્યાં પંદરેક દિવસ તેઓના સમાગમનો લાભ લેતા. વળી તેઓશ્રી ખાસ સમય આપીને બોધ આપતા તે જાણે પુષ્કરાવર્ત મેઘ જેવું બની જતું. આ સમાગમનો અવર્ણનીય બોધના પુણ્યોદયનું સાતત્ય જળવાયું છે. હજી સૌની સાથે મારી સદ્ગુરુ યોગની યાત્રા ચાલે છે. જેમાં આંતરિક, આધ્યાત્મિક, તાત્ત્વિક અને અનેક રીતે અનુભવાત્મક વિકાસયાત્રા દેવગુરુકૃપાએ થતી રહી છે. વીતરાગ માર્ગની તમન્ના
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy