________________
પૂજ્ય શ્રી આત્માનંદજી (સોનેજી)નું સાન્નિધ્ય મળ્યું. જેમના સાન્નિધ્યમાં સાધના થતી રહી. તેમની પ્રેરણાથી સંસ્થા દ્વારા
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ હતી. જેમાં શ્રી હરિભાઈનો ઘણો સાથ મળ્યો હતો. ત્યારપછી બીજી આવૃત્તિ અમેરીકાના જિજ્ઞાસુ મિત્રો દ્વારા પ્રકાશિત થઈ.
આ સમય દરમિયાન ઈડર અમદાવાદમાં તત્ત્વનિષ્ઠ સાધક પૂ. શ્રી ગોકુળભાઈનો સમાગમ થયો. જેમના સંપર્કમાં શ્રી સમયસારજી અને અન્ય ગ્રંથોનું અધ્યયન કર્યું. તેમની પાસેથી વ્યવહાર ધર્મની સમતુલા, નિશ્ચયદૃષ્ટિની વિશેષતા, ભેદજ્ઞાન જેવા ઊંડા તાત્ત્વિકભાવોને પોષણ મળ્યું. જેમાં શુદ્ધધર્મની કંઈક સમજ મળી. આજ પર્યંત તેઓના સમાગમમાં તાત્ત્વિકભાવનાને અને સાધનાને પુષ્ટિ મળતી રહી છે.
વળી પ્રસંગોપાત ૧૯૮૯માં કોબા સ્થળથી નિવૃત્ત થઈ. મનમાં વિતરાગ માર્ગ અન્વયે સમ્યગ્દર્શનના બોધની વાત ઘૂંટાતી હતી. તેથી બધા સંયોગોમાં સાધના થઈ પણ પ્રસંગોચિત તે તે સ્થાનો છૂટી ગયા. તે ગાળામાં પૂ. દાદા જેઓ સોનગઢ નિવાસી હતા તે નજીકમાં રહેતા હોવાથી તેમના પરિચયમાં શ્રી સમયસારજી જેવા ગ્રંથોનું અધ્યયન થયું.
તે દરમ્યાન ૧૯૮૪માં સામાજીક સેવામાંથી પૂર્ણ નિવૃત્ત થઈ. કચ્છમાં યાત્રા નિમિત્તે ગઈ હતી ત્યારે આધ્યાત્મિક યોગી પૂજ્ય આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજીનો સમાગમ થયો ત્યારે તેઓએ તેઓશ્રી રચિત નવતત્ત્વના બોધનો એક પાઠ કરાવ્યો. જેમાં તેમની આંતરિક લબ્ધિનો લાભ મળ્યો અને તેઓએ પ્રકાશિત કરેલું નવતત્ત્વનું પુસ્તક કંઠસ્થ થયું. તેના અનુસંધાનમાં ૧૯૮૪ થી ૮૯ સુધીની નૈરોબી અને લંડનની સત્સંગ યાત્રામાં આ નવતત્ત્વના વર્ગો ચલાવ્યા. જેને આજ સુધી આવકાર મળ્યો છે.
પુણ્યયોગે આ ગાળામાં લગભગ ૧૯૮૫માં પૂ. ભદ્રંકરસૂરિજીનો સમાગમ મળ્યો અને તેમણે પ્રથમ શ્રી ધર્મબિંદુ ગ્રંથના આધારે વીતરાગ માર્ગને યોગ્ય શ્રાવકના ૨૧ ગુણો સાથે સમ્યગ્દર્શનનો બોધ આપ્યો જે ખૂબ સંતોષજનક થયો. વળી તેમણે નવતત્ત્વનું સરળ લેખન લખવાનું
૨