SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ * અંતરનો ઉદ્દગાર * કાણું વર્ષની જીવન યાત્રાને આરે, ત્રીસ જેવા વર્ષના ગાળા પછી, ત્રીજી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે આ ત્રીસ વર્ષના ગાળામાં ઘણા પ્રસંગો બની ગયા. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન સમયે નજર સમક્ષ ભૂતકાળનું સ્મરણ થયું. અર્થાત્ પુસ્તકનું લેખન કેવા નિમિત્તે થયું ? લગભગ ૧૯૬૭ થી ૧૯૭૯ સુધી પૂ. શ્રી વિમલાતાઈ ઠકાર (દીદી)ના સાન્નિધ્યમાં આધ્યાત્મિક સાધનાનો અવસર મળ્યો હતો. દર વર્ષે ચારેક માસ આબુ અને હિમાલયના પ્રદેશોમાં તેમના સમાગમમાં મૌન સાધના થતી. પ્રસંગોપાત આ સમાગમ ગૌણ થઈ ગયો. જો કે લગભગ ૧૯૫૦ થી પૂ. પંડિતજી સુખલાલજી, પૂ. પાનાચંદશાહ અને પૂ. પન્નાલાલ ગાંધી જેવા મહાનુભાવોનો પરિચય હતો એટલે અધ્યાત્મ જીવનની આકાંક્ષાની ઝંખના ચાલુ હતી. તેમાં વચ્ચે બીજા યોગો મળ્યા તેનો લાભ મળતો રહેતો. વળી તીર્થમાં સાધના-મૌન માટે જવાનું થતું હતું. ૧૯૮રમાં એક આશ્ચર્યજનક અને આનંદપૂર્ણ પ્રસંગ બની ગયો. એક સુપ્રભાતે નખી તળાવ પર ફરીને પાળ પર બેઠી હતી. દૂર-સુદૂર કુદરતની કળા જોતી હતી. ત્યાં જંગલો તરફ નજર જતાં પૂ. અધ્યાત્મ યોગી આનંદઘનજીના આ ભૂમિના વિચરણની કંઈક ઝલક મનમાં ઊઠી. આ યોગીના સ્તવનોના પરિચયને કારણે યોગીના આ ભૂમિમાં અવતરણ થયેલા ધ્યાનની દશાના કંઈક ભાવો ઊઠયા. ચિત્ત પ્રસન્ન થયું અને પેલી ધારા ચાલુ હતી તેથી તે જ દિવસે તે ભાવો લેખનમાં ઉમટવા માંડયા. પછી તો રોજે જ કંઈક લખાતું રહ્યું અને પુણ્યયોગે પુસ્તક રૂપે ગ્રથિત થયું. વળી સામાજિક કાર્યોમાંથી કંઈક નિવૃત્તિ લઈ ઈડર અને વડવાના શ્રીમદ્ રાજચંદ્ર કેન્દ્રમાં આ સાધનાનું સાતત્ય જાળવ્યું. ત્યારપછી ૧૯૮૧થી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર કોબામાં
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy