________________
સ્થિરતાના આવા અનુભવ પછી જુદા જુદા અનુભવ થાય છે. વીજળીના કરન્ટ જેવો પ્રવાહ શરીરમાં અનુભવાય છે. રોમાંચનો અનુભવ, શરીરનું ઉપર ઊઠવું, શ્વાસની ગતિમાં મંદતા, ખાસ પ્રકારનું આનંદદાયક વાતાવરણ, હોઠ, દાઢી, ગાલ, નાકના નીચેના ભાગને આવરીને પ્રગટ થતું જણાય છે. ધ્યાનમાંથી ઊઠયા પછી પણ આનંદનો સંચાર થોડો સમય રહ્યા કરે છે.
આ પ્રમાણે જ્યારે સાધનાનો સમય વૃદ્ધિગત થાય છે અને જામે છે ત્યારે કોઈ એક મહાભાગ્યવાન સમયે ધ્યાનાવસ્થામાં ઈષ્ટદેવ, શ્રી ગુરુ મંત્ર સાધના વગેરે સર્વ વસ્તુઓ આત્મજાગ્રત દશામાં વિસ્મૃતિ પામે છે; અને ત્યારે જે રહી જાય છે તે અખંડ ચિન્માત્ર, પરમ શાંત, સર્વોપરી, નિર્વિકલ્પ, સહજ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વાનુભવ છે, જે આપણું મૂળસ્વરૂપ છે. ધ્યાનનું ફળ :
ધ્યાન એ સર્વોત્તમ તપ છે. તેનું તત્કાળ ફળ ચિત્તપ્રસન્નતા આત્મશાંતિ અને અનુભવરસનો આસ્વાદ છે. સાચા ધ્યાનથી વિકારોનું જોર નાશ પામે છે, કર્મબંધ તૂટે છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે. સમાધિની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. માટે દરેક સાધકે નિયમથી, થોડોક પણ ધ્યાનનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. સત્સંગ, સન્શાસ્ત્ર અને સદાચાર એ ત્રણેનું યથાયોગ્ય અવલંબન લેવાથી ધ્યાનમાં સિદ્ધિની પ્રાપ્તિ જલ્દીથી અને સહેલાઈથી થાય છે એ વાત અનુભવસિદ્ધ છે. (ડૉ. શ્રી સોનેજીકૃત “સાધનસાથીના પ્રકરણ ૨પમાંથી)
પ્રાચીન દિગંબર પૂર્વાચાર્યોનો ધ્યાનસાધના
વિષયક ઉત્તમ બોધ ધ્યાનનું સ્વરૂપ :
આચાર્યશ્રી કહે છે કે, તું સ્વાનુભવરૂપ નિશ્ચયમોક્ષમાર્ગમાં સ્થિર થા, તેનું મનન કર, તેનું જ ધ્યાન કર અને તેમાં જ રમણતા કર. પોતાના આત્માને છોડીને અન્ય દ્રવ્યનું ચિંતન કરવું નહિ.
- શ્રી સમયસાર ૪૧૦, ૪૧૧, ૪૧૨ ૧૯૧