SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારરૂપી અગ્નિથી ઉત્પન્ન થયેલા સંતાપને શાંત કરવાને ધીર અને વીર પુરુષો માટે ધ્યાનરૂપી સરોવરમાં સ્નાન કરવું તે ઉત્તમ છે. ધર્મધ્યાનનો ધ્યાતા સમ્યકજ્ઞાન અને વૈરાગ્યસહિત હોય છે. ઈદ્રિયો અને મનને વશ કરવાવાળો હોય છે. તેના વિચારોમાં સ્થિરતા છે. તે ધ્યાતા, મોક્ષનો અભિલાષી, પુરુષાર્થી તથા પ્રશાંત હોય છે. - શ્રી જ્ઞાનાર્ણવ વ-૩/રપ-૨૭ હે આત્મન ! તું તારા આત્માર્થનો જ આશ્રય કર. મોહરૂપી વનનો ત્યાગ કરી, ભેદવિજ્ઞાનને ગ્રહણ કર. વૈરાગ્યનું સેવન કર. નિશ્ચયરૂપથી શરીર અને આત્માના ભેદસ્વરૂપની ભાવના કર. આ પ્રકારે ધર્મધ્યાનરૂપી અમૃતના સમુદ્રની મધ્યમાં અવગાહન કરી, ઊંડો ઊતરી અનંત સુખ તથા પૂર્ણ મુક્તિના દર્શન કર. - શ્રી જ્ઞાનાર્ણવ વ-૨/૪ર ક્રોધાદિ ભાવોનો નિગ્રહ, મન અને ઈદ્રિયોનો વિજય, અહિંસાદિ વ્રતોનું ધારણ અને લોકસંગનો ત્યાગ-આ ચાર ધ્યાનની સિદ્ધિ માટેની ઉત્તમ સામગ્રી છે. - શ્રી તત્ત્વાનુશાસન/૭પ ઉત્તમ ધ્યાતાનું સ્વરૂપ : જે સાધુ યમનિયમમાં તત્પર છે, જે આંતર અને બાહ્ય બંને પ્રકારે શાંત છે, મમતા રહિત છે, વળી સમતા ભાવને પ્રાપ્ત છે, સર્વ જીવો પ્રત્યે દયાવાન છે, શાસ્ત્રકથન અનુસાર મિતાહારી છે, નિદ્રાપ્રમાદથી પોતે સ્વાધીન છે, આત્મસ્વભાવથી પરિચિત છે, તે જ ધ્યાનના સામર્થ્ય વડે સર્વ દુઃખોનો નાશ કરે છે. જેણે સર્વ શાસ્ત્રોનું રહસ્ય જાણ્યું છે, જે સર્વ પ્રકારનાં પાપોથી રહિત છે, આત્મકલ્યાણમાં રત છે, જેણે સર્વ ઈદ્રિયોના વિષયોનું શમન કર્યું છે, જેની વાણી સ્વ-પર કલ્યાણકારી છે, જે સર્વ સંકલ્પોથી રહિત છે, એવો વિરક્ત સાધુ શાશ્વત સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. - આત્માનુશાસન, રરપ-૨૨૬ ધ્યાનની વિધિ અને તેનું સ્વરૂપ : હું કોઈ પણ પદાર્થોનો નથી, કોઈ પર પદાર્થો મારા નથી. હું ૧૯૨
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy