________________
વિચાર કરવો.
ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે, મન શુદ્ધ થયા વિના ધ્યાન થઈ શકતું નથી. અથવા મનઃશુદ્ધિ કરવા માટે ધ્યાનની જરૂર છે. મન શુદ્ધ હોય તો ધ્યાન થાય અને ધ્યાન હોય તો મનઃશુદ્ધિ થાય. આ પ્રમાણે બન્ને અન્યોન્ય કારણ છે.
આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી પાછા હઠવા સમભાવમાં પ્રવેશ કરવો પડશે. તે વિના ચપળ મન સ્થિરતા પામતું નથી.
શ્રીમાન યશોવિજ્યજી પ્રકાશે છે કે, વિકલ્પો એ જ વિષય છે, તેનાથી પાછા વળી આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિપાક દશા તે સમભાવ છે.
ધર્મધ્યાનનાં ચાર આલંબન ધર્મધ્યાનનો અધિકારી પ્રાયે મુનિ છે. સાધક તે માર્ગે યથાશક્તિ જઈ શકે.
(૧) વાચના-શિષ્યાદિને ભણાવવા. (૨) પૃચ્છના-શંકાદિનું નિવારણ કરવું. (૩) પરાવર્તના-વારંવાર સૂત્રાદિ જોવા. (૪) અનુપ્રેક્ષા-ચિંતન-ભાવના કરવી.
આ ચાર મનને સ્થિર કરવાના ધર્મધ્યાનના આલંબન છે, સ્વાધ્યાયરૂપ છે.
વિષમ-ઊંચાં, નીચાં, દુઃખે ચડવું-ઊતરવું થાય તેવાં સ્થાનોમાં મજબૂત આલંબન (દોરડું) રાખવાથી વિના કલેશે પહોંચી શકાય છે તેમ મનુષ્ય સૂત્રાદિનાં વાચનાદિથી ધર્મધ્યાનમાં જઈ શકે છે. શરૂઆતમાં ઉત્તમ આલંબનની જરૂર રહે છે. અનુક્રમે વિના આલંબને આત્મસ્વરૂપમાં પ્રવેશ કરી શકાય છે.
ધર્મધ્યાનના ચાર ભેદ વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા પદાર્થ છે, તેનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તેની વિચારણા-ધ્યાન તે ધર્મધ્યાન છે. આત્મસ્વરૂપમાં પ્રવેશવા જે વિચારો, નિર્ણયો કરવા, તેના સંસ્કાર પાડવા તે ધર્મધ્યાન છે.
૧૮૨