SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલધ્યાન શરીરે કષ્ટ કે દુઃખ વિના સાધી શકાય છે. કેવળ મનની નિર્મળતા કરવાથી આ માર્ગ સરળ બને છે. આ ઉત્તમ ધ્યાનમાં હૃદયને પરમ આદ્ર બનાવી આત્મિક પ્રેમથી જોડવું. સર્વ જીવોને આત્મસ્વરૂપે અનુભવવા. વિશુદ્ધ મન દ્વારા જ નિર્વાણ સાધી શકાય છે. ધર્મધ્યાન વડે મનને કેળવવું પડે છે. સવિચારો અને સંકલ્પો દ્વારા મનને કેળવવાનું છે. આ કાળે પૂર્વધર કે કેવળીના વિરહમાં શુક્લધ્યાન અગમ્ય છે તેમ કહ્યું છે. તે ભલે અગમ્ય હોય પરંતુ ઉમેદવારી (ભાવના) કરવામાં નિરાશ ન થવું. શુક્લધ્યાનની ઉમેદવારી કરતાં ધર્મધ્યાનની પ્રાપ્તિ જરૂર થશે. તે પણ આનંદદાયક જ છે. માટે યથાશક્તિ પ્રયત્નવાન થવું. આલંબન વડે ધ્યાનનો અભ્યાસ કરનાર તન્મયપણાને પામીને પોતાના આત્માને સર્વપણાને પામેલો પ્રગટપણે અનુભવે છે. જે સર્વજ્ઞ ભગવાન છે તે હું નિશ્ચયથી છું. આવી તન્મયતા પ્રાપ્ત થયેલો સર્વજ્ઞ મનાય છે. જમીનમાં જેવું બીજ વાવ્યું હોય છે, તેવું વૃક્ષ ફાલે છે. તેમ આત્મશક્તિ પોતાની પાસે છે. વારંવાર આત્મા તે જ હું છું, તેમાં તન્મય થવાથી સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. અહોનિશ તેવી ભાવના કરવી. જે જે ભાવનાને આત્મા સાથે જોડવામાં આવે તેની સાથે સ્ફટિક મણિની જેમ આત્મા તન્મયતા પામે છે. નિશ્ચયનયના અભિપ્રાયે આત્મા લેપાયેલો નથી, “હું જ્ઞાની છું, શુદ્ધ છું'' એ ભાવના ભાવવાથી શુદ્ધ થાય છે અને વ્યવહારનયની અપેક્ષાએ “હું લેપાયેલો છું” એમ જાણી મલિનતા દૂર કરવી. હલકી ભાવના સેવવી જ નહીં. આત્માનું સામર્થ્ય અનંત છે. તેની શક્તિ ધ્યાનથી પ્રગટ થાય છે. ધર્મધ્યાનનું સ્વરૂપ પ્રતિશ્યામ શાસ્મોધિ યોગાષ્ટાંગાનિ ચિંતયેત્ દુષ્ટાનુષ્ઠાનતો ભગ્નો મનઃશુદ્ધિ મુનિ દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી મનની શુદ્ધિ કરવાને માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને યોગના આઠ અંગનો ૧૮૧
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy