SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનઃ ઘણો આરંભ પરિગ્રહ મેળવીને, યુદ્ધ ખેલીને જીવોને ઘાત કરીને, તેના રક્ષણાર્થે થતું ચિંતન તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. આ પ્રમાણે કોઈ પણ પ્રકારની હિંસા કરવી, કરાવવી કે અનુમોદના આપવી, તે તે વિષયોનું ચિંતન કરવું તે રૌદ્રધ્યાન છે. તે નરકગતિનું કારણ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિમિત્તોથી દૂર થવા ઉત્તમ નિમિત્તરૂપ સદ્ગુરુ, સત્સંગનું સેવન કરવું અને ધર્મધ્યાનનું આરાધન કરવું. ધર્મધ્યાન પહેલાંની ભૂમિકા | ધર્મધ્યાનનું આરાધન કરતાં પહેલાં મનની જડ ભૂમિને સંવેદનશીલ કરવા અનિત્યાદિ બાર ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, જ્ઞાનાદિ ચાર ભાવનાઓનો અભ્યાસ કરી તેની અનુપ્રેક્ષા કરવી. ચિંતન, મનન, નિદિધ્યાસન કરવું. વળી આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, આ છ પદનું વ્યવસ્થિત ચિંતન કરવું. તે પછી ધર્મધ્યાનના પ્રકારમાં પ્રવેશ કરવાથી આત્મોન્નતિ થાય છે. સમ્યકત્વવાન, સમ્યગ્દર્શી, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો, મજબૂત દેહધારી, ધીરજવાન, છ જીવની અહિંસા પાળનાર, સત્યવચની, બ્રહ્મચારી, નિઃસંગ પરિગ્રહ રહિત, મમત્વ રહિત, શુદ્ધ મનવાળો ધ્યાન કરવા માટે અધિકારી છે. આવા ગુણોના અંશો હોય તો ધ્યાન વડે તે ગુણો સંપૂર્ણતા પામે અને જીવનું સ્વરૂપ પ્રગટ થાય. ધ્યાન-આરાધન કરનારને અષ્ટાંગયોગ સહકારી છે. તેના ક્રમથી આત્મા સ્થિર અને ત્વરિત ગતિએ વિકાસ કરી શકે છે. મનઃશુદ્ધિ વગર ધર્મધ્યાન સાધ્ય નથી, મનઃશુદ્ધિ માટે અષ્ટાંગયોગ ઉત્તમ છે. અષ્ટાંગયોગનો અભ્યાસ સદ્ગુરુ સમીપે કરવાથી આત્મા નિર્મળ થાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન તે રાજયોગ છે. રાજમાર્ગ કાંટાકાંકરા વગરનો હોય છે. ખાડાટેકરા રહિત હોય છે; તેમ ધર્મધ્યાન તથા ૧૮૦
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy