SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ર. 3. ૪. ૧. ર. 3. તેનાથી દુઃખનો અનુભવ થવો. અનિષ્ટ સંયોગ આર્તધ્યાન. ઈષ્ટવિયોગ : પોતાને પ્રિય વસ્તુનો વિયોગ થવાથી દુઃખની લાગણી થવી. સુખનાં સાધનો ચાલ્યાં જવાથી શોક કે મોહ ઉત્પન્ન થવાથી જીવ રાત દિવસ તે પદાર્થનું ચિંતન કરે છે. મનમાં આવું ચિંતન થવું તે ઈષ્ટવિયોગ આર્તધ્યાન છે. રોગાર્ત-ધ્યાન : રોગનો મને સ્વપ્ન વિષે પણ સમાગમ ન થાઓ એ પ્રમાણેની ચિંતા. દેહ ઉપરનું મમત્વ એ મોટામાં મોટી ચિંતા છે. દેહ હોવાથી રોગ ઉત્પન્ન થવાનો સંભવ છે. રોગ થયે તેની ચિંતામાં જ એકાકાર થવું તે રોગાર્ત ધ્યાન છે. ભોગાર્ટ-નિયાણા આર્તધ્યાન ઃ રાજ્યાદિની પ્રાપ્તિ, સ્વામિત્વ, પુણ્યાદિ કરી ફળની આકાંક્ષા, પૂજા-સત્કારની યાચના વગે૨ે નિયાણાથી ઉત્પન્ન થનારું આર્તધ્યાન મનુષ્યોને દુઃખરૂપી દાવાનળ છે. તે ભોગાર્ત આર્તધ્યાન છે. આ આર્તધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે. રૌદ્રધ્યાન ચાર પ્રકાર આ દુર્ધ્યાનને જણાવવાનો હેતુ તેનાથી મુક્ત થવાનો છે. હિંસા રૌદ્રધ્યાન : પોતાના હાથે કે અન્યની પાસે જીવોના સમુદાયને પીડા કરવી, નાશ કરવો, તેમ કરીને હર્ષ પામવો તે હિંસાનુબંધી કર્મ છે. બીજાના જીવ લેવાથી કે હેરાન કરવાથી જ્યાં સુધી જીવ પાછો ન હઠે ત્યાં સુધી સુખી થવાની ઈચ્છા શા માટે રાખવી ? - રૌદ્રધ્યાનવાળો જીવ નિર્દય સ્વભાવનો, ક્રોધાદિ પ્રકૃતિનો, મદથી ઉદ્ધત, પાપબુદ્ધિવાળો, કુશીલ અને નાસ્તિક હોય છે અને આ દુર્ગુણો વડે રૌદ્રધ્યાનની ઉત્પત્તિ કરે છે. : અસત્યાનંદ રૌદ્રધ્યાન ઃ ઈંદ્રિયોના વિષયો અને મનની તૃપ્તિ કરવા અસત્ય વચનો બોલી, કાવાદાવા કરી અન્ય જીવોનો નાશ કરવો, તેમાં આનંદ માણવો તે અસત્યાનંદ રૌદ્રધ્યાન છે. ચૌર્યાનંદ રૌદ્રધ્યાન ઃ અન્યનું પડાવી લેવાની વૃત્તિથી ચોરી કરવા માટે અન્ય જીવનો ઘાત કરવાનું ચિંતન તે ચૌર્યાનંદ રૌદ્રધ્યાન છે. ૧૭૯
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy