________________
૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું.
૧૬. તેમનાં મૂર્તસ્થાનને વિષેથી તે વખતે કારનો ધ્વનિ થયા જ કરે છે એમ માનવું.
૧૭. તે ભાવનાઓ દૃઢ થયે તે કાર સર્વ પ્રકારનાં વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું.
૧૮. જે પ્રકારના સમાર્ગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંતવતાં ચિંતવતાં તે જ્ઞાન તે શું ? એમ ભાવવું.
૧૯. તે ભાવના દૃઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. (પત્રાંક ૪૧૬)
શ્રી વિજયકેસરસૂરિજીકૃત ‘ધ્યાનદીપિકા’માંથી ઉદ્ધૃત જૈનદર્શનમાં નિર્દિષ્ટ ધ્યાનયોગ
ધ્યાન એ મન દ્વારા થતું ચિંતન છે. બાહ્યાંતર નિમિત્તોના સંયોગે વાસનારૂપે રહેલાં સંસ્કારો જાગ્રત થઈ જાય છે. મનુષ્ય તેવા વિચારોમાં લીન થઈ ઘસડાઈ જાય છે અને તેને તે તે પ્રકારનું ધ્યાન થાય છે.
ચાર પ્રકારનાં ધ્યાન શાસ્ત્રકાર ભગવંતોએ વર્ણવ્યાં છે. પહેલા બે પ્રકાર બાધક હોવાથી છોડવાલાયક છે. છેલ્લા બે પ્રકાર મોક્ષમાર્ગમાં સહાયક હોવાથી રુચિ કરવા યોગ્ય, અભ્યાસવા યોગ્ય અને આત્મસાત્ કરવા યોગ્ય છે. આ ચાર પ્રકાર નીચે પ્રમાણે છે :
૧. આર્તધ્યાન ૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. શુક્લધ્યાન આર્તધ્યાન ચાર પ્રકાર
અનિષ્ટસંયોગ : મનને ન ગમે તેવી વસ્તુના સંયોગથી દુઃખનો અનુભવ થવો, પોતાને ન ગમે તેવા મનુષ્યનો સંબંધ થવો,
ન
૧૭૮
૧.