SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ બજારમાં ગયા. આખું બજાર ફર્યા. ઓસ્પેન્સ્કીને એ સર્વ વ્યર્થ લાગ્યું બધું બદલાઈ ગયેલું લાગ્યું. કારણકે તે બદલાઈ ગયો હતો તેની ચેતના પરને છોડીને સ્વતરફ વળી હતી. એટલે પૌલિક દશ્યો નિરર્થક જણાયા. ગુરુએ કહ્યું બજાર વિગેરે એ જ છે પણ તારી જોવાની દૃષ્ટિ બદલાઈ છે. આ હતી સાધના. સ્વાધ્યાય • પોતાનો વાસ્તવિક પરિચય આપે તે સ્વાધ્યાય. ચપટી સુખ માટે વલખા મારતા માનવીને જ્યારે આનંદથી સભર વ્યક્તિત્વ સ્વાધ્યાય દ્વારા આત્મસાત થાય ત્યારે તેને લાગે કે ‘હું જ આનંદઘન'. આનંદઘનતાની દિશામાં ડગ માંડવા તે દુર્બાન અને બહિર્ભાવથી સંપૂર્ણ દૂર રહી પોતાની ભીતર ઉતરી જવું તે ધ્યાન. લોગસ્સ જેવું સૂત્ર બોલીને તમે આ પ્રયોગ કરી સ્વાનુભૂતિમાં જઈ શકો. ગુરુ ઈશારો આપશે. ઈશારો પકડાય અંતરયાત્રા શરૂ થઈ. એક સાધક સદ્ગુરુ ચરણમાં ઝૂક્યો, ગુરુદેવ પ્રભુદર્શન કરાવો. ગુરુએ કહ્યું ‘ઉપર જો' બેજ શબ્દો. શિષ્ય પણ જાગૃત હતો. તેણે સદ્ગુરુની આંખમાં જોયું અને તેને, પ્રભુદર્શન મળી ગયું. શિષ્ય અર્પણતાથી ભરેલો હતો. મીરાંએ ગાયું છે ‘બડે ઘર તારી લાગી, મારી મનની ઉણારત ભાગી’ કાયાના ઘરને મૂકી આતમના ઘર સુધી જવું છે. રવિ સાહેબ કહે છે ‘ઘરમેં ઘર દિખલાઈ દિયે વો સદ્ગુરુ હમાર’ કાયાના ઘરમાં ગુણોનું ઘર બતલાવે તે જ સદ્ગુરુ. સ્થૂલિભદ્રને સદ્ગુરુએ શક્તિપાત કરી સ્વરૂપ સાથે જોડી દીધા. અંતે સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળી પવિત્રતાને અખંડપણે જાળવી પાછા ફર્યા ગુરુએ કહ્યું દુષ્કર, દુષ્કર. ગુરુના એવા શક્તિપાતને ઝીલવા પૂરી અર્પણતા જોઈએ. ઝેન કથા છે કે શિષ્યે સદ્ગુરુના શ્રવણ કરેલા ઉપદેશનું ત્રણસો પાનાનું પુસ્તક ચરણોમાં મૂકયું. ગુરુ હસ્યા કહે મારો ઉપદેશ તો ત્રણ શબ્દનો હતો. To be silence - ભીતર જાવ તેના ત્રણસો પાના ભર્યાં ? આ પ્રમાણે ગુરગમદ્વારા અંતર્મુખતાના કે ધ્યાનના ગૂઢ રહસ્ય સમજાય છે. ૧૭૩
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy