SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ મનોગતિના બે પ્રકારો. શુભ અને શુદ્ધરૂપ. શુભરૂપ મનોગુતિ એટલે એક શુભયોગમાં તન્મયતાથી જોડાઈ જવું. શુદ્ધરૂપ મનોગુપ્તિના પ્રવાહમાં સાધક મનને પેલે પાર ગયો હોય છે. વિકલ્પોની પેલે પાર જ્યાં સ્વરૂપ સ્થિતિ છે. શુભની તીવ્રતા અશુભને પ્રવેશવા નહિ દે અને શુદ્ધ તરફ ગતિ કરાવશે. વિકલ્પોથી પાછળ વળવા, અભ્યાસ અને વૈરાગ્ય જોઈશે. વૈરાગ્ય એટલે પરની અનાસ્થા, અભ્યાસ, જપ, પ્રભુ ભક્તિ આદિ. અનાદિના અભ્યાસને તોડવાનો છે. શુભને ઘૂંટીને શુદ્ધમાં જવાનું છે. ધ્યાન : સ્વગુણ સ્થિતિ. આ રસપ્રદ સંક્ષિપ્ત નોંધથી સાધકો પૂ.શ્રીનો સમાગમ કરી વધુ અભ્યાસ કરવા પ્રેરાશે તેવી શુભ ભાવના. સવિશેષ પૂજ્યશ્રીએ વિશાળ દ્રષ્ટિયુક્ત સાધનાના સૂત્રો જ્યાં જ્યાં જોયા જાણ્યા ત્યાંથી લઈને, આત્મસાત કરીને આલેખ્યા છે. જૈનદર્શનની ધ્યાન વિશેષતાઓમાં યોગીઓના અનુભવની મસ્તી દર્શાવી છે સાથે સાથે બૌદ્ધ, ઝેન, કબીર, મીરાં એવા ઘણાં સંત મહંતોના અનુભવને પ્રસ્તુત કર્યા છે. આશય એમ જણાય છે કે જૈનદર્શનને આપણે સર્વજ્ઞ પ્રણિત પૂર્ણ માનીએ છીએ. અન્ય દર્શનમાં જો ધ્યાન જેવી આરાધનાનું આવું મહત્ત્વ છે, તો જૈનદર્શનમાં ધ્યાનની કેવી અલૌકિતતા છે તે સમજાય, તો હાલ જે રાજમાર્ગ વિસરાવા લાગ્યો. છે તે ઉત્થાન પામે. અને પાત્ર જીવો જ્યાં ત્યાં ભૂલા પડે તેને બદલે યોગ્ય માર્ગે ધ્યાન જેવા આરાધનને આત્મસાત્ કરી શકે. કેટલાંક ઉદાહરણો : રશિયાના તિફલીસ શહેરના યોગાચાર્ય ગુર્જિએફે ચુનંદા સાધકવૃંદ પાસે એક સાધના પરથી છૂટી સ્વકેન્દ્રિત બનાવી ઘુંટાવી હતી. તેના પરિણામને જોવા તે સાધકોને કહેવામાં આવ્યું કે તમારા સિવાય આ ખંડમાં રહેતા બીજા સાધકોની સૂક્ષ્મ નોંધ પણ તમારે લેવી ન જોઈએ. લગભગ ત્રીસેક સાધકોની ત્રીસેક દિવસ આ પ્રમાણે સાધનાની કસોટિ કરી. ત્રીસ દિવસ સુધી તન્ને બાજુમાં રહેતા સાધકનો અણસાર ચિત્તમાં આવવો જોઈએ નહિં. સમય પૂરો થતાં ગુરુ, ઓસ્પેન્કી નામના સાધકને લઈને ૧૭૨
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy