________________
સ્થાન-મન-ધ્યાન-ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્રાણ વોસિરામિ. અહીં સ્થાન એટલે કાયગુપ્તિ (સ્થિરતા) મોણેણં-વચનગુપ્તિ, ઝાણેણે મનોગુપ્તિ. ત્રણે ગુતિ દ્વારા દેહભાવને વોસિરાવું છું.
આ ગ્રંથમાં કાયોત્સર્ગ વિધિ-શુભથી શુદ્ધ સુધીની યાત્રા રૂપે ધ્યાનમાર્ગના એક અંગરૂપે નિરૂપણ કર્યું છે.
કાયોત્સર્ગ શરૂ કરતા પહેલા એક ગહન વિધી દર્શાવી છે. ઈરિયાવહી સૂત્રથી. વિરાધનાના દોષોથી મુક્ત થવાનું છે.
ત્યારપછી તસ્સ ઉત્તરી સૂત્રમાં વિશેષ શુદ્ધિ અને શલ્ય દોષ રહિત થવાનું દર્શાવ્યું છે.
અરિહંત ચેઈયાણમાં શ્રદ્ધા આદિ વડે ચિત્તને સ્થિર થવાનું છે.
એક નવકાર જેવા કાયોત્સર્ગ પહેલાં મનાદિ યોગોને પણ સ્થિર કરવાના છે વિરાધના જેવા દોષો ટાળવાના છે. મનાદિયોગોમાં ચંચળતા આવી કે આસવનો પ્રારંભ થઈ ગયો. આત્મશક્તિ યુક્ત સાધકપરભાવમાં નહિ જાય. આમ્રવના દ્વાર બંધ થશે, તે તેની મહા ફળશ્રુતિ છે.
અનુકૂળ મુદ્રા દ્વારા કાયયોગ સ્થિર કરી. વચનગુપ્તિ માટે પ્રારંભમાં જાપ હશે. પછી સાધક ભીતરની દુનિયામાં સ્થિર થશે. જાપ ખૂબ ઘૂંટાય પછી આ સ્થિતિ આવે છે. મનોસુમિ કોઈપણ એક શુભ આલંબનમાં ગાઢ રીતે મન સાથે નિષ્પકમ્પ બનેલું હોય. આલંબનમાં લાગેલું મન એ મનની એકાગ્રતા, અને મનની નિષ્પકમ્પતા એટલે સ્વરૂપ સ્થિતિ. (વિશેષ વિસ્તાર માટે ગ્રંથમાંથી અભ્યાસ કરવો.)
આમ કાયોત્સર્ગ સાક્ષીભાવની પરાકાષ્ઠા છે. લોગસ્સ જેવા કાયોત્સર્ગમાં ચિત્ત સ્થિર એટલે આત્મગુણમાં ડુબી જવું. સ્વગુણની ધારામાં રહેવાનું સહજ થશે. આ ધ્યાનની સહજ અવસ્થા છે.
ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપ સ્થિતિ : ચિત્તની એકાગ્રતા તે પણ ધ્યાન છે. અને સ્વગુણ સ્થિતિ પણ ધ્યાન છે. બેઉમાં આધારતલ નિર્વિકલ્પતા છે.
સાધક પરમાં કયા કારોથી જાય છે ! વિકલ્પોના દ્વારથી જ તો. અચ્છા તો એ દ્વાર જ બંધ કરી દેવાય ને? ધ્યાન અને કાયોત્સર્ગનો ફરક. ધ્યાનમાં મનોગુપ્તિની સાધના છે. કાયોત્સર્ગમાં ત્રિગુપ્તિની સાધના છે. એકાગ્રચિત્તતા અને સ્વરૂપ. આ ધ્યાનના બે સ્થિત્યાન્તરો મનોગુપ્તિ જોડે સંબંધિત છે.
૧ ૭૧