________________
પદાર્થ પર કે આત્મદ્રવ્ય પર દૃષ્ટિ-ચિત્ત કેન્દ્રિત કરી અંતઃસ્થ બનવાનું છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિર્લોભતા જેવો ગુણોના આલંબનોને ઘૂંટીને સાધક શુક્લધ્યાન પર ચઢે છે.
(૧) પ્રથમ પ્રકાર : પૃથકત્વ વિતર્ક સુવિચાર.
શ્રુતના અવલંબન સાથે એકાદ પદાર્થ કે આત્મદ્રવ્ય પર સાધક પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. દ્રવ્ય એક જ પરંતુ તેની ભિન્ન ભિન્ન પર્યાયો પર ઉપયોગ જશે.
અહીં હજી ધ્યાતા ધ્યાન અને ધ્યેયનો ભેદ હોવાથી પૃથકપણું છે, વિતર્ક એટલે શ્રુતનું અવલંબન. સવિચાર એટલે સંક્રમણશીલતા એક અવસ્થાથી બીજી અવસ્થાનું ધ્યાન. શુકલધ્યાનનો બીજો પ્રકાર : એકત્વ વિતર્ક અવિચાર,
પ્રથમ પ્રકારમાં પર્યાયની ભિન્નતા હતી. અહીં એકજ પર્યાય પર ધ્યાનની સ્થિરતા છે. આ ધ્યાનમાં ઉપયોગાંતર નથી. ધ્યાતા ધ્યેયમાં એકાગ્રતા હોવાથી એકત્વ થયેલ છે. શ્રુતનું અવલંબન લઈ એક જ પર્યાયમાં ઉંડા ઉતરવું તે શુક્લધ્યાનનો બીજો પ્રકાર છે.
શુક્લધ્યાનનો ત્રીજો પ્રકાર : સૂક્ષ્મ ક્રિયા અનિવર્તીિ.
પ્રથમ મનોયોગનો સર્વથા નિરોધ (મનોવ્યાપાર), પછી વચનયોગનો સર્વથા નિરોધ, ત્યારબાદ કાયયોગનો અડધો નિરોધ થાય છે. સૂક્ષ્મક્રિયા હજી ચાલુ છે.
શુક્લધ્યાનનો ચોથો પ્રકાર : વ્યુપરત ક્રિયા અપ્રતિપાતી.
ચૌદમા ગુણ સ્થાનકે આત્મા અયોગી બને છે. અહીં કાયાની સૂક્ષ્મ ક્રિયા પણ સમાપ્ત થાય છે. તેથી તે સુપરત ક્રિયા કહેવાય છે. હવે આત્મા શાશ્વત કાળ સુધી અયોગી અવસ્થામાં છે. તેથી તે અપ્રતિપાતી છે. આ ધ્યાનનું તાત્પર્ય આત્મા પરિભ્રમણથી મુક્ત થઈ શાશ્વત સ્વરૂપાનંદમાં સમાધિસ્થ થાય છે. વિશેષ અભ્યાસ માટે અન્ય શાસ્ત્રોને જોવા.
પ્રસ્તુત ગ્રંથમાં સુષુમ્મા, ઈગલા, પિંગલા નાડીનું રૂપ, કુંડલિની, પચ્ચક્રભેદ, ત્રિકુટીભેદ થાસોની લયબધ્ધતા જેવા ગહન વિષયોનું સંક્ષિપ્ત રૂપ દર્શાવ્યું છે તે ગુરુગમે આરાધવા જેવું છે, અભ્યાસ કરવાની ભાવનાવાળાએ તે ગ્રંથોનો અભ્યાસ કરવો જરૂરી છે.
૧૭)