SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દંભ કે ભ્રમ ન હોય. પરભણી જતો હોય અને સ્વભાવની દિશાનો ભ્રમ થાય. ત્યારે સદ્ગુરુ જ ભ્રમ ભાંગે. સાધક સ્વ તરફ ગતિ કરે, પરમાં ઉદાસીનભાવ. આમ સ્વની અને પરની પરિણતિ ભિન્ન થયા પછી સ્વની અનંત શક્તિ જોઈને ચિત્ત શાંત બંને. આત્મગુણના સાક્ષાત્કાર પછીનો આનંદ અસીમ છે. પછી પરની પીડાકાર દુનિયામાં જવાનું કેમ થાય? આ પિંડસ્થ ધ્યાન છે. રૂપસ્થ ધ્યાનમાં નિજ ગુણની આંશિક સ્પર્શના છે. પદસ્થ ધ્યાનમાં પ્રભુના ગુણોનું પ્રતિબિંબન છે. પિંડ ધ્યાનમાં ગુણોની સમૃદ્ધિ સોળે કળાએ ખીલી ઉઠે છે. પરિણામે રૂપાતીત ધ્યાન પ્રગટે છે. (૫) ધર્મધ્યાન શુક્લધ્યાન : વિષય કષાય આદિથી મન પાછું ફર્યું એટલે આર્ત-રૌદ્ર-ધ્યાનની દિશા જ બંધ થાય અને આત્મગુણોનો રસસ્વાદ અર્થાત્ ઉપયોગ આત્મગુણ ભણી જશે. ધ્યાતાની ધ્યેય ભણીની યાત્રા તે ધર્મધ્યાનથી શુક્લધ્યાન ભણીની યાત્રા. ધર્મધ્યાનના ચાર પ્રકાર. (૧) આજ્ઞાવિચય (૨) અપાય વિચય (૩) વિપાક વિચય (૪) સંસ્થાન વિચય. (૧) આજ્ઞા વિચય ? પરમાત્માની આજ્ઞા પર અનુપ્રેક્ષા (વિચય). આજ્ઞાધર્મની અનુભૂતિ અનુપ્રેક્ષાને સપ્રમાણ બનાવશે. સમિતિ ગુતિની આંશિક અનુભૂતિ થઈ તેની અનુપ્રેક્ષા સપ્રમાણ હશે. (૨) અપાય વિચય : રાગદ્વેષથી યુક્ત વ્યક્તિત્વને આલોક અને પરલોકમાં કેવી પીડા ઉપજશે એનું ચિંતન કરવું (વિચય). (૩) વિપાક વિચય ઃ કર્મના બંધ ઉદય ઉદીરણા અને સત્તા આદિ વિચારી તે બધાથી પર એવી આત્મસત્તામાં લીન થવું તે વિપાક વિચય. (૪) સંસ્થાના વિચય : ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો તેમની આકૃતિ સંસ્થાન લક્ષણ આદિનું ચિંતન કરી ચિત્તને એકાગ્ર કરવું તે. ભિન્ન ભિન્ન પ્રકાર છતાં મંઝિલ એક છે તે સ્વગુણનું ધારામાં જવું તે ધર્મધ્યાનના શિખરે શુક્લધ્યાન એ જ ધારાનું વેગ પ્રવહન છે. ૧૬૯
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy