SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ કરી, સ્તવના કરી. અમીયભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કોય, શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. - પૂ. શ્રી આનંદઘનજી. પ્રભુનું અસ્તિત્ત્વ પૂર્ણ રસથી ભરેલું છે, તે પ્રશમરસ મારા ભણી આવી રહ્યો છે, તેને ઝીલીને તે બ્રહ્મરન્દ્રમાંથી પ્રવેશ પામી રહ્યો છે, પછી તે ધીરે ધીરે પૂરા અસ્તિત્વમાં વ્યાપી ગયો. સાધક ઘરે જશે તો પણ તેને પ્રશમની ઘેરી અસર રહેશે આ છે પદસ્થસ્થાન. તીર્થક્ત પદવી પરધાન, ગુણ અનંતકો જાણી થાન. ગુણ વિચાર નિજ ગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈન કહે. - સ્વરોદયજ્ઞાન પૂ. ચિદાનંદજી. તીર્થંકર પદ શ્રેષ્ઠ છે. અનંત ગુણોનું સ્થાન છે, તે ગુણોનું પ્રતિબિંબન સાધકના હૃદયમાં પડે છે તે પદસ્થ ધ્યાન છે એમ સદ્ગુરુ કહે છે. પિંડસ્થ ધ્યાન : ધૂળના ઢેફા જેવી આ ક્ષણભંગુર કાયામાં જ્યોત ઝળહળે છે. ચૈતન્યતત્ત્વના એ પ્રકાશમાં અંધારુ દૂર થયું. આત્મતત્વનો ઉજાશ બરોબર માણ્યો, અને ભીતરી ઘરનો ભેદ જડયો. સદ્ગુરુ દ્વારા ભીતરી ઘરમાં પ્રવેશ થયો. સાધકના પક્ષે તીવ્ર અહોભાવ હશે. તે સદ્ગુરુના શક્તિપાતને ઝીલશે. પ્રવચન અંજન જો સરુ રે, દેખે પરમ નિધાન હૃદય નયણ નિહારે જગ ધણી, મહીમા મેરુ સમાન. - શ્રી આનંદઘનજી સાધક વિભાવથી શૂન્ય થાય ત્યારે સદ્ગુરુ શક્તિપાત કરે છે. આંખ દ્વારા, બોધ દ્વારા, સ્પર્શદ્વારા એમ અનેક પ્રકારો છે. ભેદજ્ઞાન અંતરગત ધારે, સ્વપર પરિણતિ ભિન્ન વિચારે, સક્તિ વિચારી શાંતતા પાવે, તે પિંડસ્થ ધ્યાન wાવે. - શ્રી ચિદાનંદજી દેહાદિથી હું ભિન્ન છું ભેદજ્ઞાન થવું તે પ્રતીતરૂપ હોય. તેમાં ૧૬૮
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy