________________
જાણવાનું, સાધકની સાવધાની અહીં જરૂરી છે. પર તરફ જવું નથી, પદાર્થોનો ઉપયોગ કરવો પડે ત્યારે રતિ અરતિનો ભાવ ન ઉઠે. દષ્ટાભાવ ધ્યાનની એક અવસ્થા છે. ૧. જ્ઞાતાભાવ પછી ૨. દષ્ટાભાવ પછી ૩. ચારિત્ર. આત્મભાવ તરફ લઈ જાય તે ચારિત્ર. પરિષહોને સહેવા તે વ્યવહાર ચારિત્ર જેનાથી દેહાધ્યાસ ટળે નિજગુણમાં સ્થિરતા તે નિશ્ચય ચારિત્ર. નિરાસક્તદશા નિશ્ચય ચારિત્ર તરફ જવા ઉપયોગી બને. ૪. તપાચાર : તપ એહિજ આત્મા વરતે નિજગુણ ભોગેરે. પ. વીર્ય : આત્મશક્તિ. અશુભ તરફ ન વળાય શુભ તરફ વળ્યા પછી શુદ્ધતા પ્રગટવી તે વીર્યાચાર. પંચાચારમયી આ સાધના ધ્યાન અને કાયોત્સર્ગની સાધનાનું
અંગ છે. મુનિજનોનો પ્રાણ છે. ૩. પૂ. શ્રી ચિદાનંદજી મહારાજે “સ્વરોદય જ્ઞાન'માં ચાર ધ્યાનમાં
રૂપDધ્યાનથી શરૂઆત કરી છે. (૧) રૂપસ્થ (૨) પદસ્થ (૩) પિંડસ્થ (૪) રૂપાતીત.
રૂપDધ્યાન દષ્ટાભાવરૂપ સ્વગુણની આંશિક ઝલક સ્વગુણમાં સ્થિરતાને કહ્યું છે.
સાધક ક્રોધાદિની ઉદયાનુગત ચેતનાને જોતાં દર્શન ગુણમાં લીન થઈ ગયો તે ક્ષણો દેખા તરીકે સ્વભાવાનુગત બની રહે.
પદાર્થો કે વ્યક્તિઓને જૂએ ત્યારે રતિ અરતિ ન કરે આ રૂપસ્થ ધ્યાન છે. જ્ઞાતાભાવ કે દૃષ્ટાભાવ આદિ કોઈ ગુણોમાં સ્થિર થવું તે રૂપસ્થધ્યાન. રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ ઃ
રહત વિકાર સ્વરૂપ નીહારી, તાકી સંગત મનસાધારી, નિજગુણ અંશ લહે જબ કોય, પ્રથમભેદ તિણે અવસર હોય.
ગુણના દર્શનની પળો તે રૂપસ્થધ્યાન બને છે. પદસ્થધ્યાન :
દહેરાસરમાં દ્રવ્યપૂજા વિધિ થઈ પછી ભાવપૂજા ચૈત્યવંદના
૧૬૭