________________
શ્રી યશોવિજ્યઉપાધ્યાયજી કૃત “જ્ઞાનસાર'માંથી ઉદ્ભૂત
ધ્યાન અષ્ટક :
શ્લોક ૨૩૩ (૧) અર્થ :
જે ધ્યાન કરનાર, ધ્યાન કરવા યોગ્ય અને ધ્યાન આ ત્રણ એકપણાને પ્રાપ્ત થયેલ છે, જેનું ચિત્ત અન્ય સ્થળે નથી એવા તે મુનિને દુઃખ હોતું નથી. શ્લોક ૨૩૪ (૨) અર્થ :
ધ્યાન કરનાર અંતરાત્મા છે, ધ્યાન કરવા યોગ્ય પરમાત્મા છે અને ધ્યાન એકાગ્રતાની બુદ્ધિ છે. આ ત્રણેની એકતા તે સમાપત્તિ છે. શ્લોક ૨૩૫ (૩) અર્થ :
મણિની જેમ ક્ષીણવૃત્તિવાળા શુદ્ધ અંતરાત્મામાં ધ્યાનથી પરમાત્માનું પ્રતિબિંબ હોય-પડે તેને સમાપત્તિ કહી છે. શ્લોક ૨૩૬ (૪) અર્થ : .
જે સમાપત્તિથી પુણ્ય પ્રકૃતિરૂપ તીર્થકર નામકર્મના બંધથી ફળની પ્રાપ્તિ થાય. તીર્થકરપણાના અભિમુખપણાથી અનુક્રમે આત્મિક સંપત્તિરૂપ ફળ થાય. શ્લોક ૨૩૦ (૫) અર્થ :
આ પ્રમાણે ધ્યાનના ફળથી વશ સ્થાનક આદિ તપ પણ યોગ્ય છે. કષ્ટરૂપ માત્ર તપ અભવ્યોને પણ સંસારમાં દુર્લભ નથી. શ્લોક ર૩૮ (૨) અર્થ :
જે જિતેન્દ્રિય છે, ધર્યસહિત છે, અત્યંત શાંત છે, જેનો આત્મા ચપળતારહિત છે, જે સુખકારી આસને રહેલ છે, જેણે નાસિકાના અગ્ર ભાગ ઉપર લોચન સ્થાપ્યાં છે તે યોગવાળો છે. શ્લોક ૨૩૯ (૭) અર્થ :
ધ્યેય ચિત્તની સ્થિરતારૂપ ધારણાની ધારા વડે, વેગથી, જેણે બાહ્ય ઈન્દ્રિયોને અનુસરનારી મનની વૃત્તિ રોકી છે. જે પ્રસન્ન ચિત્તવાળા છે છે, પ્રમાદરહિત છે. જેઓ જ્ઞાનાનન્દરૂપ આસ્વાદ લેનારા છે.
૧૭૪