SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જોવા માટે મોકલી તે ગુમ થઈ ગઈ. પૂ.શ્રીને આ સમાચાર મળ્યા ત્યારે (સમતાના ભંડાર) તેઓ બોલ્યા. “એમાં કંઈ સારું છૂપાયેલું હશે. પૂર્વની કાચી નોંધના આધારે પુનઃ લખવાનું શરૂ કર્યું. તેમાં છ સાત વર્ષ નીકળી ગયા. પરંતુ પૂ. શ્રી પંન્યાસજીની સતત પ્રેરણા હતી, અને પૂજ્યશ્રીના હૃદયમાં તીવ્ર તમન્ના હતી કે આ ગ્રંથ અધિકારીઓના હાથમાં આવે અને શ્રી સંઘમાં સમગ્રપણે ધ્યાનનો પ્રચાર થાય. ધ્યાનના નામે માંર્ગભ્રષ્ટ થતાં લોકોને જોઈને પૂ.શ્રીને દુઃખ થતું. એકવાર પાલીતાણામાં પંદર દિવસ “ધ્યાનવિચાર' પર વાચના આપી હતી. ત્યારે કહ્યું કે :“મેં તો ભાવિમાં કોઈ જિજ્ઞાસુને કામ લાગે એ આશયથી ગ્રંથ લખ્યો છે, પણ હજી સુધી કોઈએ પૂછાવ્યું નથી કે માર્ગદર્શન માંગ્યું નથી.” (શ્રી જંબુવિજ્યજીના પ્રસારિત ગ્રંથના કિંચિંáક્તવ્યમાંથી) જિનેશ્વર ભગવાનના શાસનમાં ધ્યાનનું અત્યંત મહત્વ છે. મોક્ષ કર્મના ક્ષયથી થાય છે. કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે. માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. આ સ્થિતિ ખરેખર હોવા છતાં જૈન સંઘમાં ધ્યાનનો પ્રચાર ઘણા સમયથી નહિવત્ થઈ ગયો છે. એટલે સામાન્ય રીતે વિચાર કરનાર જૈન જૈનેતર માણસોને લાગે છે કે જૈન ધર્મમાં ક્રિયાકાંડ અને ઉત્સવો છે. ધ્યાન જેવી સાધના છે નહિ. યોગમાં તથા ધ્યાનમાં અત્યંત રસ ધરાવનાર ઉદ્યોગપતિ હોવા છતાં અભ્યાસી શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીએ આ વિષયના પ્રાચીન અર્વાચીન જૈન ભંડારોમાં તપાસ કરતા તેમને ધ્યાનવિચાર નામનો નાનકડો ગ્રંથ મળી આવ્યો. તત્કાળ તેમણે તેનો અનુવાદ કરી છપાવી દીધો, છતાં તે વિશિષ્ટ અભ્યાસી દ્વારા લખાય તો સાર્થક થાય. ખરેખર તેમ થયું અને તે આ વિજ્ય કલાપૂર્ણસૂરિજીને હાથે વિવેચન તૈયાર થયું. વાચકો આનો વાંચન, મનન, નિદિધ્યાસન દ્વારા લાભ ઉઠાવે તથા જૈન સંઘમાં ધ્યાનની પરંપરા યોગ્ય રીતે પુનર્જીવત થાય, તે દ્વારા સૌ આત્મકલ્યાણ સાધે. ૧૪૬
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy