________________
| * પૂર્તિ -
લગભગ ૧૯૮૩માં ધ્યાન એક પરિશીલન પ્રકાશિત થયું ત્યારે મને જે જે ગ્રંથોનો પરિચય નહોતો કે તે તે ગ્રંથો પ્રકાશિત ન હતા, તેવા ગ્રંથોની અદ્ભુત સામગ્રી લગભગ મને છેલ્લા દસકામાં મળી જેનો સત્સંગી બહેનો સાથે મનન-ચિંતનપૂર્વક સ્વાધ્યાય અને આંતરિક આનંદ માણ્યો તેવા ગ્રંથોનો સૌ સાધકોને પરિચય થાય, તેઓ પણ આ આંતરિક આનંદ માણે, અભ્યાસ કરે, તો આત્મકલ્યાણની કેડી કંડારી શકે. તે પ્રયોજન છે.
આ ગ્રંથોમાં લગભગ વર્તમાન આચાર્યોના ગ્રંથોનું ધ્યાન વિષેનું વ્યાપક સ્વરૂપ જાણવા મળે છે જેનો અભ્યાસ કરવાથી આત્મભાવનાની પુષ્ટિ માટે પુસ્તકનો વિસ્તાર થવા છતાં અત્રે ઉધૃત કર્યું છે. વાસ્તવમાં આ લેખન તે તે ગ્રંથોના સંક્ષિપ્ત ઉતારા છે.
ધ્યાન વિચાર
વિવેચનકાર : અધ્યાત્મયોગી પૂ. આચાર્યદેવ વિજ્યકલાપૂર્ણસૂરિજી પ્રેરણાદાતા પ.પૂ. ભદ્રંકરવિજયજી
સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાનયોગ છે. શ્રાવક અને સાધુઓના જે મૂળ ગુણ અને ઉત્તર ગુણ તથા જે જે બાહ્યક્રિયાઓ દર્શાવવામાં આવ્યા છે, તે સર્વે ધ્યાનયોગને સિદ્ધ કરવા માટે છે.
ધ્યાનસિદ્ધિનો ક્રમ આ પ્રમાણે છે, “મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ જોઈએ. ધ્યાન સિદ્ધ કરવા માટે મન:પ્રસાદ જોઈએ, એટલે કે ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ. અહિંસા, સંયમ અને તપ આદિ વિશુદ્ધ અનુષ્ઠાનનું ઉલ્લાસપૂર્વક આસેવન કરવાથી ચિત્ત પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.”
- ઉપમિતિ સારોધ્ધાર પ્ર-૮ ધ્યાનવિચારનું વિવેચન સંપૂર્ણ થયું. પ્રેસ કોપી પૂ.પંન્યાસજીને
૧૪૫