________________
• ત્રીજા પ્રકારના સાધક માટેનો ઉપક્રમ :
સાંસારિક કાર્યોથી મોટે ભાગે નિવૃત્ત થવું; અથવા જરૂરી ફરજો બજાવવી અને વધુ સમય સાધનામાં રત રહેવું. નિત્ય માટે છ કલાક કે યથાશક્તિ પણ વ્યવસ્થિત આયોજન કરી સ્વયંપ્રેરણા વડે નિત્યક્રમ ગોઠવી લેવો. પવિત્ર સ્થાનમાં વધુ સમય ગાળવો અને એકાંત તથા મૌનનું અવલંબન વધુ દઢ કરવું. સપ્તાહમાં એક કે બે દિવસ, અથવા એક અહોરાત્રનું મૌન રાખવું. શકય હોય તો રોજ ત્રણ કલાકનું મૌન રાખવું. જરૂરી દૈહિક ક્રિયા સિવાય આ સમયમાં સ્વાધ્યાય-લેખન કરવું. સવારે બ્રાહ્મમુહૂર્તમાં સદેવગુરુની ભકિતમાં ચિત્તને સ્થિર કરી સ્વસ્વરૂપનું સવિશેષ ચિંતન કરવું. કોઈ એક ગુણવિષયક ચિંતન કરવું. આ પ્રકારે સવારે અને સાંજે એક એક કલાક કે વધુ સમય ચિત્તસ્થિરતામાં રહેવા પ્રયાસ કરવો.
તત્ત્વના ગ્રંથોનો જ્ઞાની પાસે અભ્યાસ કરવો. ભક્તિ, સામાયિક, સ્વાધ્યાય, સુલેખન ઈત્યાદિ કરવાં. નિવૃત્તિનાં પવિત્ર સ્થાનોમાં સમૂહભક્તિ અને સમૂહસત્સંગ દ્વારા આત્મભાવને અને સ્થિરતાને પુષ્ટ કરતા રહેવું. આવી ઉત્તમ સાધનાના પરિણામે આત્માની શુદ્ધતા પ્રગટતી રહેશે, અને ધ્યેય સિદ્ધ થતું અનુભવાશે. માટે ઉત્સાહપૂર્વક આ માર્ગમાં આગળ વધવું.
અંતમાં, આ ભૂમિકા અને ઉપક્રમને અનુભવીની નિશ્રામાં અને સ્વશિક્ષણના ક્રમમાં યોજવાથી સાધક આગળ વધતો જશે. જેમ જેમ આગળની ભૂમિકા આવે તેમ તેમ શ્વાસઅનુપ્રેક્ષા જેવાં સ્થૂલ અવલંબનોને ગૌણ કરી સૂક્ષ્મમૌન, વિકલ્પોનું શમન કરવું. આત્મચિંતન, પરમાત્માનું ધ્યાવન અને સ્થિરતા જેવાં સૂક્ષ્મ અવલંબનોને ગ્રહણ કરવાં. છેવટે પોતાના શુદ્ધાત્માની જ ચિંતવના અને ભાવના કરી, તે સ્વરૂપમાં જ સ્થિર થવા પ્રયત્નશીલ થવું.
ચિત્તની સ્થિરતા અને સૂક્ષ્મ ઉપયોગના વિકાસ સાથે અનુભવની ક્ષમતા વધે છે. થોડા થોડા સમયને અંતરે આત્મસ્વરૂપનો લક્ષ પ્રગટપણે વધતો જાય છે. અશુભધ્યાનના પ્રકારો અતિશય મંદ થતા જાય છે અને ધર્મધ્યાનના પ્રકારો સહજપણે સાધ્ય થઈ જાય છે. ધર્મધ્યાનની કે શુભધ્યાનની સાધનાનું આ સાફલ્ય છે.
સત્ પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
૧૪૪