________________
૦ ભૂમિકા ચોગ્ય પ્રકારો
ગૃહસ્થ સાધકે નીચેના પ્રકારોને અને ક્રમને સમજી વિચારી પોતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે ગોઠવી લેવા. પ્રથમ પ્રકાર : વ્યવસાયી-પ્રારંભિક સાધક માટે છે. દ્વિતીય પ્રકાર : કંઈક નિવૃત્ત અને જિજ્ઞાસાવાળા સાધક માટે છે. ત્રીજો પ્રકાર : આત્મસાધનાની જ અગ્રિમતાવાળા સાધક માટે છે કે આગળની ભૂમિકાવાળા સાધક માટે છે.
૦ પ્રથમ પ્રકારના સાધક માટેનો ઉપક્રમ :
સાધનાનો સમય રોજના ૧ થી ૨ કલાકનો રાખવો. તેમાં સ્કૂલ મૌનનો સમાવેશ થઈ શકે, અથવા રોજે એક કલાક મૌનનો રાખી સદ્ભુતવાંચન કે લેખન કરવું.
ધ્યાનનો અભ્યાસ : અનુકૂળ પણ નિયત સમય રાખવો. શ્વાસઅનુપ્રેક્ષા ૫ મિનિટ, ભક્તિપદ ૧૦ મિનિટ, મંત્રજપ કે 5 ધ્વનિ ૫ મિનિટ, સ્વનિરીક્ષણ-ચિંતન ૧૦ મિનિટ. સવારે અને સાંજે કે રાત્રે ૩૦ મિનિટનો આ ક્રમ રાખવો. અવકાશ મળે પવિત્ર ભૂમિમાં અનુભવીની નિશ્રામાં અભ્યાસ વધારતા જવું અને નિત્ય સ્વાધ્યાયનો નિયમ રાખવો. સત્કાર્યમાં ઉપયોગ રાખવો.
• બીજા પ્રકારના સાધક માટેનો ઉપક્રમ :
સાધનાનો સમય નિત્ય માટે ૩ થી ૪ કલાક. તેમાં સ્વાધ્યાય, મૌનનો અને આસનાદિનો સમાવેશ કરી શકાય. રોજે ત્રણ કલાક સળંગ કે મર્યાદિત કલાકનું મૌન રાખવું. સપ્તાહમાં એક દિવસ ૬ થી ૧૨ કલાકનું મૌન રાખી શકાય તો ઉત્તમ છે.
ધ્યાનનો અભ્યાસઃ શ્વાસઅનુપ્રેક્ષા કે આત્માનુપ્રેક્ષા (ચક્રોમાં સ્થિરતા) ૫ મિનિટ, ભક્તિભાવના ૧૫ મિનિટ, મંત્રજપ ધ્વનિ ૧૦ મિનિટ, સ્વનિરીક્ષણ ૧૦ મિનિટ, પરમાત્માનું ચિંતન ૧૦ મિનિટ, વિકલ્પ રહિત-સ્થિરતાના-સૂક્ષ્મમૌનના-આત્મભાવના કે અનુભવમાં જવાની ભાવનામાં રહેવા પ્રયત્ન કરવો ૧૦ મિનિટ. આ પ્રમાણે સવારે રાત્રે એક એક કલાકનો ક્રમ રાખવો. રોજે એક કલાક સ્વાધ્યાય, એક કલાક સત્સંગ અને એક કલાકનું મૌન રાખવું. | દર બે કે ત્રણ માસે પવિત્ર સ્થાનોમાં જઈ સત્સંગ કરવો અને નિવૃત્તિમાં રહી અભ્યાસ વધારતા જવું.
૧૪૩