________________
ચિંતનરૂપ સ્થિરતાને ધ્યાન કહ્યું છે. આમ કરતાં બુદ્ધિપૂર્વકનું ચિંતન શાંત થયે કેવળ આનંદનો અનુભવ રહે તે ધ્યાનદશાની સિદ્ધિ છે.
તે પછી ચિત્તમાં આનંદની ધારા વહેતી રહે તો તે ધ્યાનનું સત્ત્વદર્શન છે, તેમ સુપ્રતીતપણે જાણવું. ધ્યાન પહેલાં એકાગ્રતા જરૂરી છે. લક્ષ એકાગ્રતા સુધીનું નથી. પ્રારંભમાં અનુભવાતા આનંદમાં પણ અટકી ન પડવું. પરંતુ મનની ભૂમિકાઓને વટાવી જ્ઞાતાદ્રષ્ટાભાવમાં જવાનો પુરુષાર્થ સેવવો. તે પછી ધ્યાનની અનુભૂતિ સહજ છે. ૦ સિદ્ધિઓના પ્રગટવા સમયનાં ભયસ્થાનો
આત્માનું અનંત સામર્થ્ય છે તે ચૈતન્યમય છે. અસતુ-જડને જડનું સામર્થ્ય છે. આત્મા જડભાવે-અસતુભાવે પરિણમે ત્યારે જડઅસતુ-માયા સર્વોપરિ રહે છે. જ્યારે સર્પ ગૂંચળું વાળી પડ્યો છે ત્યારે બાળકો તેને પથ્થર મારશે, પણ જ્યાં સર્પ ફૂંફાડો કરશે ત્યાં સૌ બાળકો દૂર નાસી જશે. તેમ આત્માનું સામર્થ્ય સત્તામાં ગૂંચળું વાળીને રહે તોય તે શક્તિરૂપે છે. જ્યારે તે પ્રગટ થાય છે ત્યારે દોષો આઘાપાછા થઈ દૂર ચાલ્યા જાય છે.
આત્માની શક્તિના પ્રગટ થવા સાથે વિવિધ પ્રકારનાં શુભ પુગલોના યોગે દૈહિક એટલે ત્રણે યોગની શક્તિ ખીલી ઊઠે છે. તેને આત્મશક્તિ સમજવી તે ગંભીર ભૂલ છે. દેહની શક્તિઓ પ્રગટે ત્યારે લોકોમાં માન વધે છે. તે પરિસ્થિતિમાં લોકેષણામાં-માન કે પૂજામાં પડી શક્તિનું પ્રદર્શન ન કરવું. આ માર્ગ એવો સૂક્ષ્મ છે કે સાધક અમુક સ્થાનેથી ચૂકે કે છેક નીચે ઊતરી પડે છે.
એકાગ્રતા સાધ્ય થતાં સ્વયં દેહની ઉચ્ચ શક્તિઓ મધુર ધ્વનિરૂપે, પ્રકાશરૂપે, સુગંધરૂપે, કોમળતારૂપે કે મુખરસરૂપે પ્રગટ થાય ત્યારે તેમને જાણી લેવી, પણ અગ્રિમતા ન આપવી કે પ્રસિદ્ધિ ન આપવી. ગુણોને સહન કરવાથી ગુણો વિકસે છે તેમ આ શક્તિઓનું છે. પ્રારંભ જ આત્મલક્ષે કરવો અને અંતિમ ધ્યેય પણ તે જ રાખવું.
મન અને શરીરનું જેવું ઉત્થાન, તેટલા પ્રમાણમાં ધ્યાનમાં પ્રગતિ થાય. આત્મદશા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, નિદિધ્યાસન કરવાથી દેહભાવ ઘટે છે, માટે સતત સ્મરણમાં રાખવું કે હું દેહ નથી, હું શુદ્ધાત્મા સ્વરૂપ છું. એવા સતત રટણમાં કોઈક પળો એવી આવશે. કે સાધક શરીરથી મુકત છે, તેવી દશાનો અનુભવ થશે.
૧૪૨