________________
જાય છે તેમ દોષો દૂર જતા રહે છે.
“કોટિ વર્ષનું સ્વપ્ર પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.”
-શ્રીમદ્ રાજચંદ્રજી રચિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર. સાધનાના ક્રમમાં જ દસેક મિનિટ સ્વનિરીક્ષણ કરવું. ચલચિત્ર જોતા હોઈએ તેવું જણાશે. દોષોથી દૂર થવાનો ભાવ રાખવો, કેવળ ખેદ ન રાખવો કે હું પામર છું, અજ્ઞાની છું. આવો હીનભાવ તે લઘુતાગ્રંથિરૂપ અવરોધ છે. દોષ જાણવા, તેનાથી મુક્ત થવું અને તે પછી દોષમુક્તિનો આનંદ માણવો. મારું આત્મસ્વરૂપ કેમ પ્રગટે તેવો ઉલ્લાસ રાખવો.
• સ્વાધ્યાય : સાધક-ગૃહસ્થ વ્યવસાયનું આયોજન જ એવું કરવું કે જેથી તેને સાધના માટે પૂરતો અવકાશ મળી રહે. આ માર્ગમાં સતુશ્રુતનું વાચન કે મનન એ અગત્યનું અંગ છે. અવકાશે હંમેશાં સન્શાસ્ત્રનો એકાંતમાં કે સમૂહમાં સ્વાધ્યાય કરવો. વીતરાગમાર્ગને કે સ્વરૂપચિંતનને પ્રેરક બને તેવા ગ્રંથોનું અધ્યયન કરવું, ધ્યાનમાં બેસતાં પહેલાં સ્વાધ્યાય કે પ્રાર્થના કરવાં જેથી તેમાંથી મનને ચિંતનયોગ્ય સામગ્રી મળી રહે.
૦ સ્થૂલ મીન : સાધકને માટે મૌન પ્રાણવાયુ સમાન છે. નિત્યપ્રતિ એકાદ કલાકનું કે અવકાશ હોય તે પ્રમાણે મૌન રાખવું. સપ્તાહમાં એક દિવસ કે અહોરાત્ર મૌન રાખવું. મૌન વડે શક્તિનો સંચય થાય છે, મૌન સમયે જરૂરી દૈહિક ક્રિયા સિવાય અન્ય ક્રિયાઓ ત્યજવી. તેમાં સ્વાધ્યાય, ભક્તિ, વગેરે કરવા. એકાંતમાં ધ્યાન, સ્વનિરીક્ષણ, ચિંતન કે લેખન જેવી પ્રવૃત્તિઓ કરવી. મૌનની ગહનતામાં આત્માના આનંદનો સ્પર્શ થાય છે. મુનિઓને મૌનનો આવો અનુભવ હોય છે. આગળ વધતાં રોજે છૂટક કે સળંગ ત્રણ કલાકનું મૌન લેવું.
૦ સૂક્ષ્મ મૌનઃ ઈદ્રિયોના વિષયોથી પાછા વળવું. પ્રત્યાહારની નજીકનું આ સૂક્ષ્મ મૌન છે. મનના વિકલ્પો, વિચારો, વાસનાઓનું શમી જવું તે સૂક્ષ્મ મૌન છે. આ મૌન દ્વારા ધ્યાનનું દ્વાર ખૂલે છે અને ધ્યાનદશાની અનુભૂતિ થાય છે.
• ધ્યાન = ઉપર મુજબના નિત્યના અભ્યાસ પછી ધ્યાન” શું છે તેની વાસ્તવિક ખ્યાલ આવશે. એક જ વિષય પર અમુક સમયની
૧૪૧