________________
હું શુદ્ધ આત્મા છું તેવો શબ્દોચ્ચાર કેવળ કલ્પના જ રહે.
તટસ્થ સ્વનિરીક્ષણ દ્વારા સભાનતા આવે છે. સભાનતાનો અભ્યાસ આ દોષોનો છેદ કરવાનું એક ઉત્તમ શસ્ત્ર છે. દોષોનો આત્યંતિકપણે છેદ થવો તે જ શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપનું સહજ ભાન તે પણ એક પ્રકારનું ધ્યાન છે.
કામ, ક્રોધાદિ કે અન્ય પ્રકારોના વિચારોથી સ્થૂળપણે મન મલિન જ હોય ત્યાં સુધી અંતર્મુખતા સાધ્ય થઈ શકતી નથી, અને અંતરમાં ડૂબકી માર્યા વગર, અંતરભેદ જાગૃતિ થયા વગર અખંડ શુદ્ધ ચેતનાનો સ્પર્શ થતો નથી. મનની ક્ષુબ્ધ અને ચંચળવૃત્તિને કારણે શુદ્ધ ચેતનાનો પ્રવાહ અખંડ હોવા છતાં વ્યવહારમાં તે ખંડિતપણે-અશુદ્ધપણે પ્રગટ થાય છે તેથી આત્માનું સત્ પ્રગટપણે અનુભવમાં આવતું નથી.
બહિર્ગામી આત્મા અસદ્ભાવોથી ગ્રહાયેલો છે તેથી સામાન્ય સાધક સતુનું દર્શન પ્રાપ્ત કરી શકતો નથી. સાધનાના બળે, સ્વનિરીક્ષણ દ્વારા ચેતનપ્રવાહ રૂપાંતર પામે ત્યારે જીવ અંતરગામી થાય છે. ત્યાર પછી તે આત્મા પરમાત્મારૂપે પ્રગટ થવાનું સત્ત્વ ક્રમે કરીને પ્રાપ્ત કરે છે. ત્રણ અવસ્થામાં આત્મા એ જ છે. પરંતુ શુદ્ધાશુદ્ધ ભાવોને કારણે તેની વર્તમાન અવસ્થામાં ભેદ પડે છે. - વર્તમાનની દશા દોષયુક્ત છે. સાક્ષીભાવ વડે નિરીક્ષણના અભ્યાસથી દોષોનો વિલય થાય છે. એકાંતમાં સ્વનિરીક્ષણ દ્વારા મનનું તટસ્થ સંશોધન એ એક પ્રકારની આત્મજાગૃતિ છે. અનંતકાળના અસંસ્કારયુક્ત મનનું સંશોધન ઘણું સામર્થ્ય માગી લે છે. કારણ કે પુષ્ટ થયેલા પુરાણા દોષોને મન એકદમ સ્વીકારતું નથી. કંઈક છલના કરીને દોષ પ્રત્યે પક્ષપાત કરી લે છે. જેમ કે મને કહે છે કે મને અભિમાન નથી પણ સ્વમાન ખાતર આમ કરવું પડે છે. સૂક્ષ્મ ઉપયોગ અને ચિંતન વડે આવી છલનાનું સંશોધન થાય છે.
આ સંશોધન વડે સાધક શુદ્ધિની આડે આવતા અવરોધોને જાણી શકે છે; તે દૂર કરવામાં શું નબળાઈ છે તેને જાણી લે છે. તેથી મનની વિશુદ્ધિ થતી રહે છે. જે પરિસ્થિતિ છે તેમાંથી બહાર નીકળતાં થોડો સમય લાગશે, પણ ધીરજપૂર્વક આ માર્ગમાં આગળ વધવું. સ્વનિરીક્ષણ જ્યારે સ્વજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પવન ફૂંકાતાં જેમ કચરો ઊડી
૧૪)